હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ખાસ કરીને ઘરની વાત આવે ત્યારે વાસ્તુનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં ઘર સાથે અનેક વાસ્તુ દોષ સંકળાયેલા હોય છે. જો તેના પર ધ્યાન ના આપવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે.
આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશી લીધા પછી અશાંતિ, આર્થિક મુશ્કેલીઓ, બીમારીઓ અને દુઃખને આમંત્રણ આપે છે. તમે ઘરમાં રહેલી આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેને સારી રીતે અનુભવી શકો છો.
જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે જે તમે પરેશાન થઇ રહયા છો તો તમે તેને તમારા ઘરથી દૂર કરવા માટે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તેને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ વાસ્તુ દોષને ઘરમાંથી દૂર કરવા માટે ઉપાયો વિશે.
1. ધૂપ બત્તી : ઘરમાં દરરોજ સવાર અને સાંજ મંદિરમાં ધૂપ બત્તી પ્રગટાવો. વધારે ધૂપ સળગાવવાની જરૂર નથી, ધૂપ-દીપ પ્રગટાવીને તમારા ઈષ્ટદેવ કે દેવી જે કંઈ હોય તેના નામ કે મંત્રનો થોડીવાર જાપ કરો. પછી તે ધૂપને આખા ઘરમાં ફેરવો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ,
2. મીઠું : રસોઈમાં સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લેવાતું મીઠું ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. મીઠાનું પોતું કરો અને સાંજે ઘરના દરેક ખૂણામાં મીઠું નાખો. બીજા દિવસે સવારે તે મીઠાને ઘરની બહાર ફેંકી દો. ,
3. ઘંટડી : ભગવાનના મંદિરમાં રહેલી ઘંટડી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે. આ માટે તમારે સવાર-સાંજ ભગવાનની પૂજા કરતી વખતે થોડીવાર ઘંટડી જરૂર વગાડવી જોઈએ. તેનો મધુર અવાજ મનને શાંત કરે છે અને ઘરમાં ખુશીઓ લાવે છે.
4. શંખ : વાસ્તુશાસ્ત્રમાં શંખનું પણ વિશેષ મહત્વનું છે. શંખનો અવાજ પણ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. શંખમાં પાણી ભરીને ઘરમાં છંટકાવ કરો. શંખને મંદિરમાં જ રાખવો જોઈએ કારણ કે તેમાં લક્ષ્મીજીનો વાસ છે. જો તમારા ઘરમાં આર્થિક પરેશાની ચાલી રહી છે તો શંખને ઘરમાં રાખવાથી તે ઓછી થવા લાગે છે.
5. કપૂર : જો તમે એવા કોઈ ઘરમાં રહેવા જઈ રહ્યા છો જ્યાં પહેલા કોઈ રહેતું હતું, તો ત્યાં પહેલા ઘરની સફાઈ કરાવી લો અને ત્યાં રહેવા જતા પહેલા કપૂર બાળી લો. આમ કરવાથી જો તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો તે દૂર થઇ જશે.
6. પાણી : પાણીના ઉપયોગથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, એક વાસણમાં પાણી ભરીને તેને 4 થી 5 કલાક સૂર્યપ્રકાશમાં રાખો. પછી તમારા જે પણ ઈષ્ટદેવ અથવા દેવી છે તેનું નામ લઈને આંબા અથવા અશોકના પાંદડાથી ઘરના દરેક ખૂણામાં તે પાણીનો છંટકાવ કરો. જો તમે સામાન્ય પાણીની જગ્યાએ ગંગાજળનો પણ ઉપયોગ કરી શકો છો.
7. બારીઓ : ઘરની બારીઓનું પણ વાસ્તુશાસ્ત્રમાં ખુબ જ મહત્વ ધરાવે છે. આ માટે તમારે દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછી 20 મિનિટ માટે તમારા ઘરની બારીઓ ખોલવી જોઈએ. આનાથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તે પણ બહાર નીકળી જશે.
8. ઘીનો દીવો : દરરોજ સવારે અને સાંજે ઘરે ભગવાનના મંદિરમાં ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આનાથી તમારા જીવનનો પ્રકાશ ફેલાવાની સાથે દીવો તમારામાં સકારાત્મક વિચાર ઉત્પન્ન કરે છે. આ સાથે તે રાહુ-કેતુ ગ્રહને પણ શાંત કરે છે અને તમારા જીવનની અશાંતિને શાંત કરે છે.
9. ફૂલ : જો તમે ઘરના મંદિરમાં દેવી-દેવતાઓને ફૂલ અર્પણ કરો છો તો તેને સવારે અર્પણ કર્યા પછી સાંજે અને સાંજે અર્પણ કર્યા પછી રાત્રે ઉતારી દેવા જોઈએ. જો તમે આવું ન કરો તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે.
10. ભંગાર : ઘરમાં ભંગાર એકઠો ન થવા દો. ખાસ કરીને ઘરમાંથી કાટ લાગેલા સાધનોને દૂર કરો અને તમારા સ્ટોર રૂમને પણ વ્યવસ્થિત રાખો અને સ્ટોર રૂમને પણ નિયમિતપણે સાફ રાખો જેમ તમે ઘરના દરેક ખૂણાને સાફ કરો છો.
ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે પણ આ લેખમાં આપેલા આ 10 ઉપાય જમાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવી જ વાસ્તુ સંબંધિત ટીપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.