healthy food tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ખોરાક એ આપણા બધાની મૂળભૂત જરૂરિયાત છે. તે માત્ર આપણા માટે ઇંધણ તરીકે જ કામ નથી કરતુ, પરંતુ તે શરીરને જરૂરી પોષક તત્વો ખોરાક દ્વારા જ મળે છે. આ જ કારણ છે કે તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ તમે માત્ર સંતુલિત આહાર દ્વારા તમારી જાતને સ્વસ્થ રાખી શકતા નથી. એ પણ મહત્વનું છે કે તમે ખોરાકને સાચી રીતે ખાવું. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેઓ તંદુરસ્ત ખોરાક લે છે, પરંતુ તેમ છતાં તેઓ સ્વસ્થ નથી રહેતા. તેમને વારંવાર કોઈને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થતી રહે છે.

કદાચ તમારું નામ પણ આવા લોકોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જે પોષણયુક્ત ખોરાક ખાધા પછી પણ પોતાને સ્વસ્થ રાખવામાં અસમર્થ છે. ક્યારેક ખોરાકનું ખોટું કોમ્બિનેશન અને ક્યારેક ખોટા સમયે ખોરાક લેવો તે તમારા માટે સમસ્યા બની શકે છે.

એટલું જ નહીં, ખોરાક ખાવાના અન્ય ઘણા નિયમો છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો, આજના આ લેખમાં ખોરાક ખાવાના કેટલાક આવા નિયમો વિશે જણાવી રહ્યા છે, જેની કાળજી રાખીને તમે તમારી જાતને જીવનભર માટે સ્વસ્થ રાખી શકો છો.

સવારના નાસ્તાને ક્યારેય ના છોડો

કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ વારંવાર તેમનો નાસ્તો છોડી દે છે અને કામ પર લાગી જાય છે. પરંતુ તમારે તે ના કરવું જોઈએ. બ્રેકફાસ્ટ બિલકુલ છોડશો નહીં.

જો તમે ઉતાવળમાં હોવ અને નાસ્તો કરવા માટે સક્ષમ ન હોવ, તો તમે દિવસમાં એક ગ્લાસ ઓટ્સનું મિશ્રણ અથવા તમે દૂધ સાથે બ્રેડ ખાઈ શકો છો. તમારે તંદુરસ્ત નાસ્તો કરવાની આદત પાડવી પડશે. જે લોકો નાસ્તો કરતા નથી, તેમનું વજન ઘણી વખત વધારે હોય છે અથવા તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા અવશ્ય હોય છે.

ઉઠ્યા પછી એક કલાકમાં કંઈક ખાઓ

જો તમે પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો જીવનમાં આ નિયમનું ચોક્કસપણે પાલન કરો. સવારે ઉઠ્યા પછી, લગભગ એક કલાકની અંદર કંઈક ખાઓ. સામાન્ય રીતે, આ સમયે બદામ, અખરોટ વગેરે જેવા નટ્સ ખાવાનું સારું માનવામાં આવે છે. તેમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા -3 ફેટી એસિડ, આયર્ન વગેરે હોય છે, જે તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોય તો બનાવો આ મગની દાળ ચાટ

થોડા થોડા અંતરે ખાઓ

કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ દિવસમાં માત્ર ત્રણ વાર ભોજન લે છે અને વચ્ચે કંઈ ખાતા નથી. પરંતુ તમારી ખાવાના બે ટાઈમ વચ્ચે લાંબો અંતર ન રાખવો જોઈએ. જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગતા હો, તો તમારે દર વખતે કંઈક ખાવાનું રાખવું જોઈએ.

દિવસમાં ત્રણ ટાઈમ વચ્ચે ભોજન લેવું ખૂબ મહત્વનું છે. જ્યારે તમે ત્રણથી ચાર કલાકની વચ્ચે કંઈક ખાઓ છો, તો તમારી પાચન શક્તિ સારી રહે છે. મેટાબોલિઝમ પણ સારું રહે છે. તે તમને વજનનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. જે લોકો થોડા થોડા અંતરે ભોજન લે છે તેમને કબજિયાત, એસિડિટી અથવા ઝાડા વગેરેની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

ફળો અને શાકભાજી વધુ ખાઓ

તંદુરસ્ત રહેવા અને ખાવા માટે સૌથી અગત્યના નિયમોમાં તમારા આહારમાં સારી માત્રામાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો. ફળો અને શાકભાજી ખાવાથી તમને ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળે છે.

વિટામિન અને મિનરલ્સ શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ હોય, તો તે પાચન, તાવ અને ઇમ્યુનીટીને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા