20 ઘરેલું આયુર્વેદિક ઉપચાર

0
344

આજે અમે તમને ૨૦ ઉપાય બતાવીશુ જે દરેક માણસ માટે ખુબજ ઉપયોગી છે. દરેક માણસ આ બધા ઉપાય ઘરે સરળતાથી કરી શકે છે. તો જાણો અગત્યના ૨૦ ઉપાય વિશે.

૧- શું તમારે વજન વધારવું છે?  તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવો આ કરવાનો વજન વધશે.

૨- અપચો થઈ ગયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ-મીઠું મેળવી તેમાં પાણી શરબત બનાવી દીવસમાં ત્રણ-ચાર વખત પીવુ.

૩- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઇલ્સ પર ખૂબ જ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.

૪-  ગોળના નાના-નાના ટૂકડા સાથે ૮થી ૧૦ દાણા ચારોલના ચાલી જતાં થાક ઉતરી જશે.

૫- મોમા પાણી ભરી આંખ પર પાણી છાંટવાથી નેત્રની જ્યોતિ વધે છે. 

૬- જમતા પહેલા ખાટા ફળો અને જમ્યા બાદ મીઠા ફળ ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

૭- દાતનો દુખાવો થતો હોય ત્યારે તજના તેલનુ પુમડુ  મુકવાથી રાહત રહેશે.

૮- રાય ના તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટીલા અને સુડોળ બને છે.

૯- જાંઘમા દુખાવો થતો હોય ત્યારે પગ ના તળિયા માં માલિશ કરવાથી ફાયદો થાય છે.

૧૦- સાંધાના દુખાવામાં ફણગાવેલી  મેથી ઉત્તમ પરિણામ આપે છે. એક નંબર

૧૧- નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપવાસ વખતે નાળીયેરનું પાણી પીવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે.

૧૨- એસીડીટી લાગે ત્યારે થોડીક બદામ ખાવાથી એસિડીટી માં રાહત રહેશે.

૧૩- જ્યારે શરીરમાં પિત્ત વધી ગયું હોય ત્યારે બરફના નાખેલા પદાર્થો અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

૧૪- અઠવાડિયામાં એકવાર મધનુ  એક ટીપુ આંખમાં નાખવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

૧૫- બરેલા શરીરને ઝડપી રુઝાવવા એલોવેરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાવવાથી જલદી રાહત મળે છે.

૧૬- નવા સંશોધન પ્રમાણે કસરત કરવા પહેલા હલકો નાસ્તો સ્ફુર્તિદાયક બની રહે છે અને ઝડપથી થાક લાગશે નહીં.

૧૭- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપવાથી પથરી થવાની શક્યતા ઓછી રહે છે.

૧૮- લીંબુના શરબતમાં થોડું ગ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે.

૧૯- ૧ ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટી જાય છે.

૨૦- તમને જાડા થઈ ગયા હોય તો એક વાડકા દહીમા મેથીના દાણાનો પાવડર મેળવી ખાવાથી ઝાડા માં રાહત મળે છે.