કેટલાક લોકો હજુ પણ બેઠા બેઠા કામ પણ કરી રહ્યા છે, તો તે લોકોની દિનચર્યા પર ખરાબ અસર પડે છે. લોકોનું સૂવું, ઊઠવું અને ખાવા-પીવાની દિનચર્યા સાવ બગડી ગઈ છે અને લોકોએ કસરત કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે લોકોનું વજન અને ચરબી બંને વધવા લાગ્યું છે.
આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે શું કરવું જોઈએ? જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ લેખમાં જણાવેલી કેટલીક સરળ ટીપ્સ તમને કસરત વગર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે સરળ ટિપ્સ.
દિવસની શરૂઆત સારી કરો : લોકડાઉન પછી આપણી દિનચર્યા પર ખરાબ અસર પડી છે. આની સૌથી વધુ અસર આપણી ઊંઘ અને જાગવાની રીત પર પડી છે. આપણે રાત્રે મોડે સુધી સૂઈએ છીએ અને સવારે મોડે જાગીએ છીએ. જેના કારણે આપણી આખી દિનચર્યા ખોરવાઈ ગઈ છે.
પરંતુ તમારે હેલ્દી ટેવો ચાલુ રાખવી જોઈએ. જેમકે ગરમ લીંબુ પાણીથી તમારા દિવસની શરૂઆત કરો. તે શરીરમાંથી બિનજરૂરી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને તમારા ચયાપચયને પણ બુસ્ટ આપે છે. જેનાથી વજન ઘટી શકે છે.
એક સાથે વધારે પડતું ખાવાથી બચો : એક સમયે વધારે પડતું ખાવાથી શરીરમાં ઘણી બધી કેલરીનો સ્ટોક થઇ જાય છે, જે વજન વધવાનું સૌથી મોટું કારણ છે. એટલા માટે તમારે દિવસમાં થોડું થોડું કરીને વધારે વખત ખાવાની ટેવ પાડવી જોઈએ.
આ રીતે તમે વધારાની કેલરી લેવાથી બચાવી શકો છો અને સરળતાથી કેલરી પચાવી પણ શકો છો અને વજન ઘટાડી શકો છો. આ માટે તમે મોટી પ્લેટની જગ્યાએ નાની થાળીમાં ખાવાની આદત પણ બનાવી શકો છો. તેનાથી તમે એક જ વારમાં વધારે પડતું ખાવાથી બચી જશો.
સમયસર ખાવાનું રાખો : ઘણા લોકો તેમના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ખાવાનું પણ ભૂલી જાય છે. અને આજકાલ તેમના જીવનને સારું બનાવવા માટે ઘણી મહેનત કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ ખરાબ ટેવ છે. લોકોનું આખું શેડ્યૂલ ખરાબ રીતે બદલાઈ ગયું છે અને આજ વધારાનું વજન વધવાનું કારણ બની શકે છે.
તમારા ભોજનની યોજના બનાવો અને આખા દિવસ દરમિયાન ખાવા માટે ચોક્કસ સમયગાળો પસંદ કરો. સૂતા પહેલા ખોરાક ખાવાથી પચવામાં મુશ્કેલી પડે છે. તેથી રાત્રિભોજન સૂવાના સમયના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં તમારે ખોરાક ખાઈ લેવો જોઈએ.
આહારમાં બેલેન્સ રાખો : જો તમે સ્વસ્થ અને સંતુલિત આહાર લેશો તો તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો. આ સાથે તમે અનેક પ્રકારની બીમારીઓથી પણ દૂર રહી શકો છો. આ સિવાય, તમારા આહારમાંથી પ્રોસેસ્ડ અને તેલયુક્ત ખોરાકને દૂર કરો અને તમારા આહારમાં હેલ્દી ફૈટ અને કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ કરો.
આ તમામ જરૂરી પોષક તત્વો મેળવવા માટે તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળોનો સમાવેશ કરી શકો છો. તો તમે કસરત નથી કરતા અને આખો દિવસ બેસી રહો છો તો વધારે કેલેરી લેવાથી બચો.
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો : ઘણીવાર આપણે આરામ કરતી વખતે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ, જે તમને તમને બિનઆરોગ્યપ્રદ નાસ્તા ખાવાની ઈચ્છા થાય છે. દરરોજ 2.5 થી 3 લિટર પાણી પીવાથી ભૂખને દૂર રાખવામાં મદદ મળે છે, શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે, પાચનને પ્રોત્સાહન મળે છે અને તમને સ્વસ્થ અને કોમળ ત્વચા મળે છે.
જયારે પણ તમે ઓફિસમાં કામ કરતા હોય કે ઘરે બેઠા કામ કરતા હોય, તમારી પાણીની બોટલ તમારી સાથે ભરીને રાખો જેથી કરીને તમે પાણી પીવાનું ભૂલશો નહીં. જો તમને સાદું પાણી ના પીવું ગમતું હોય તો તમે તેમાં કંઈક વસ્તુ મિક્સ કરીને પણ પી શકો છો. શરીરને ડિટોક્સ કરવા માટે અને વજન ઘટાડવાનો આ સરળ રસ્તો છે.
ઘરે કસરત કરો : તમે આખા દિવસમાં જે કેલરી લો છો તે બર્ન કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. જો કેલરી બર્ન નથી થતી તો મોટાપા અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું કારણ બની શકે છે. વજન ઘટાડવા માટે, તમારી જીવનશૈલીમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. આ માટે, તમે સીડીઓનો ચડી શકો છો અને પિલેટ્સ, ડાન્સ અને ચાલવા જવાની કસરત કરી શકો છો.
જયારે આપણે ઘરે હોય ત્યારે, આપણી આંખો અને પેટ હંમેશા નાસ્તાને શોધતા હોય છે. તમે તમારા આહારમાં બદામ અને બીજ, તળેલા શાકભાજી, સલાડ, શેકેલા ચણા, શેકેલા મખાના અથવા સ્મૂધી જેવા આરોગ્યપ્રદ નાસ્તા ખાવાની ટેવદ પાડો.
આ બધું ખાવાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. તમારી જીવનશૈલીમાં આ સરળ ટિપ્સનો સમાવેશ કરીને ઝડપથી વજન ઉતારી શકો છો. વજન ઘટાડવા અને ફિટનેસ સંબંધિત આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.