રાત્રે સુતા પહેલા આ વાસણમાં પાણી ભરીને 8 કલાક પછી તેને સવારે ઉઠીને પી જાઓ, મળશે અદભુત ફાયદા

tamba na vasan ma pani pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને પણ યાદ હશે કે કેવી રીતે તમારી દાદી તાંબાના વાસણમાં પાણીમાં પાણી પીતા હતા. તમારે પણ તેમની સલાહને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે તાંબાના વાસણમાં સ્ટોર કરેલું પાણી શરીર માટે અત્યંત આરોગ્યપ્રદ હોય છે.

તાંબાના વાસણમાં પાણીનો સંગ્રહ કરવો એ પાણીને શુદ્ધ કરવાની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. આયુર્વેદ પણ સ્વીકારે છે કે સવારે સૌથી પહેલા તાંબાના જગમાં આખી રાત સંગ્રહિત પાણી પીવું ખરેખર સારું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

તાંબામાં પ્રાણ શક્તિ નામની વિદ્યુતચુંબકીય ઉર્જા હોય છે, જે પાણીનું આયનીકરણ કરે છે અને શરીરનું pH સંતુલન જાળવી રાખે છે. જ્યારે તાંબાના વાસણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે ત્યારે ધાતુનું તાંબુ ધીમે ધીમે પાણીમાં ભળી જાય છે અને તેને તેના તમામ ફાયદાકારક ગુણ પ્રદાન કરે છે.

તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તાત્ર જલ કહેવામાં આવે છે અને તેને આઠ કલાક રાખ્યા પછી જ પીવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થાય છે.

આ માહિતી આયુર્વેદિક નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેઓ લખે છે કે ‘હું મારી શિયાળાની સવારની શરૂઆત એક ગ્લાસ તાંબાના પાણીથી કરું છું. તે મને ઊર્જાવાન અને તાજગી મહેસૂસૂ કરાવે છે. તાંબાના પાણીમાં રાખેલ પાણી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠું પણ હોય છે.

તાંબાના પાણી પીવાથી થતા ફાયદા : વજન ઘટાડવામાં મદદ કરે છે. થાઇરોઇડ ગ્રંથિની કામગીરીને નિયંત્રિત કરે છે. ત્વચાના સ્વાસ્થ્ય અને મેલેનિન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. એન્ટિમાઇક્રોબાયલ – ઇન્ફેક્શન સામે લડે છે. પાચન સુધારે છે. વધતી ઉંમરને ઓછી કરે છે.

ઘા ને ઝડપી ભરવામાં મદદ કરે છે. હૃદય માટે સારું – હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં મદદ કરે છે. સંધિવા અને સોજાવાળા સાંધામાં ફાયદાકારક છે. એનિમિયાને દૂર કરે છે. કોપર શરીરમાં આયર્નના શોષણમાં મદદ કરે છે, જે એનિમિયા સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તાંબાના વાસણો કેવી રીતે સાફ કરવા : હવે સૌથી મહત્વનો અને મુશ્કેલ ભાગ તાંબાના વાસણો સાફ કરવાનો હોય છે. તમારે તેમને ખૂબ જ કાળજીપૂર્વક અને યોગ્ય રીતે સાફ કરવાની જરૂર હોય છે. તમે તેને કેવી રીતે સાફ કરશો તે જાણો.

લીંબુ અને મીઠું : તાંબાના વાસણોને કુદરતી રીતે સાફ કરવા માટે, એક લીંબુને અડધા ભાગમાં કાપીને, કાપેલી બાજુએ મીઠું નાખો અને વાસણો પર હળવા હાથે ઘસો. તમે લીંબુનો રસ અને સમાન ભાગોમાં મીઠું અને ખાવાનો સોડાની પેસ્ટ પણ બનાવી શકો છો.

વિનેગર અને મીઠું : 1 ચમચી મીઠું અને 1 કપ સફેદ વિનેગરનું મિશ્રણને નરમ કપડાથી તાંબા પર ઘસો અને ધોઈ લો. અથવા તાંબાને 3 કપ પાણી અને મીઠું-વિનેગરના મિશ્રણમાં ડુબાડી, ઉકાળો, અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દાઢ અને મેલ ન દૂર થઇ જાય.

જો તમે દરરોજ તાંબાની બોટલનો ઉપયોગ કરો છો, તો તેને અઠવાડિયામાં બે વાર જરૂર ધોવો. શિયાળામાં તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પણ તમે આ બધા ફાયદા મફતમાં મેળવી શકો છો. આવી જ વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.