આ 5 વસ્તુઓને લોકો ઘણીવાર ખોટી રીતે ખાય છે, તો ચાલો જાણીએ તેના વિશે

તમે આ વાક્ય ઘણી ક્યાંક વાંચ્યું હશે કે ક્યાંક સાંભળ્યું હશે, ‘તમારું શરીર તમારું મંદિર છે’. આનો અર્થ એ થયો કે આપણું શરીર આપણું નથી પણ ભગવાનનું છે તેથી તેને સ્વચ્છ રાખવું અને નકામી ટેવોથી દૂર રાખવું અને અશુદ્ધિઓથી મુક્ત રાખવું જોઈએ. આવી સ્થિતિમાં ખાનપાન તેનો મહત્વનો ભાગ છે.

જ્યારે તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે પણ સારું વિચારશો. તો આ માટે એ પણ જરૂરી છે કે યોગ્ય રીતે કેવી રીતે ખાવું જોઈએ તે પણ જાણો. આપણામાંથી મોટાભાગના લોકોની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે કે આપણે ક્યારેય યોગ્ય સમયે સારો ખોરાક ખાતા નથી.

આવી ઘણી ખાવાની વસ્તુઓ છે જેને આપણે લોકો ખોટી રીતે ખાઈએ છીએ. હવે ગરમાગરમ રોટલી ખાવી કોને નથી ગમતું, પરંતુ તેને ખાવાની સાચી રીત શું તમે જાણો છો? આજે આ લેખમાં અમે તમને એવી 5 ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવાશું જેને તમે પણ ખોટી રીતે ખાતા હશો.

મધ : મધના વધુ પડતા સેવનથી પિત્ત વધી શકે છે. તેને ગરમીની ઋતુમાં ક્યારેય ખાવામાં આવતું નથી. કેટલાક લોકો વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ ખોટી રીતે કરે છે. ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવું નુકસાનકારક છે. ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી તે ઝેરી બની જાય છે જે ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે.

ડુંગળી : શું તમે જાણો છો કે લોકો ઉપવાસમાં ડુંગળી અને લસણ ખાતા નથી? વાસ્તવમાં ડુંગળી તામસિક પ્રકૃતિની હોય છે. ડુંગળી એલ-ટ્રિપ્ટોફેનથી ભરપૂર હોય છે. તે એક પ્રકારનું એમિનો એસિડ છે જે નેચરલ સેડેટિવ તરીકે કામ કરે છે.

આ સિવાય તેને ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. ડુંગળીને તેલમાં સાંતળવાથી ડુંગળી તેલ વધુ શોષી લે છે અને પછી તેને તમારા પેટમાં છોડે છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તમારે ડુંગળીને સલાડમાં ઓછી માત્રામાં લેવી જોઈએ.

મરચું પાવડર : જો ખાવામાં લાલ મરચું પાવડર ના હોય તો ખાવાની મજા નથી આવતી. લાલ મરચા વગર ખાવાનો સ્વાદ અધૂરો કહેવાય છે. આપણામાંથી ઘણા લોકો એવા છે જે ખાવાનું વધુ મસાલેદાર બનાવવા માટે લાલ મરચું પાવડર વધુ છે, પરંતુ તમને જણાવી દઈએ કે તે તમારા પેટને અંદરથી નુકસાન પહોંચાડે છે.

તેના ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને લીધે વધુ પડતા લાલા મરચું પાવડરના સેવનથી પેપ્ટીક અલ્સર અને પાઈલ્સ જેવી સમસ્યાઓ થઇ શકે છે. તમે હંમેશા ખોરાકમાં લાલ મરચું પાવડર થોડી માત્રામાં લો અથવા તેના બદલે લીલા મરચા અથવા કાળા મરીનો ઉપયોગ કરો .

રોટલી : શું તમને રોટલી ખાધા પછી ક્યારેય પેટમાં દુખાવો થયો છે ખરા ? શું તમને રોટલી ખાધા પછી તમારું પેટ ખરાબ થયું છે? ઘણા લોકોને રોટલી ખાધા પછી પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આનું કારણ રોટલીને ખોટી રીતે ખાવાનું પણ છે.

વાસ્તવમાં આપણે રોટલીને તવીમાંથી કાચી નીકાળીને શેકીએ છીએ, જે બહારથી રંધાઈ ગઈ લાગે છે પણ અંદરથી કાચી રહે છે. રોટલી માટેની કણકને સારી રીતે ગુંદવી જોઈએ અને તેને લગભગ 5 મિનિટ માટે સેટ થવા છોડી દેવી જોઈએ. પછી જ રોટલી શેકવી જોઈએ.

કેળા : પોષક તત્વોથી ભરપૂર કેળા એક એવું ફળ છે, જે હેલ્ધી કહેવાય છે. ફળોના સલાડમાં શેક કે મીઠાઈઓ અને ઘણી વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. શું તમે પણ બજારમાંથી કેળા ખરીદતી વખતે કાચા કેળા ખરીદીને ઘરે લાવો છો? પરંતુ શું તમે જાણો છો કે કાચા કેળા તમારા માટે કેટલા નુકસાનકારક હોઈ શકે છે?

તમારું શરીર પાકેલા કેળા ઝડપથી પચાવે છે પરંતુ કાચા કેળાને પચવામાં વધુ સમય લે છે અને તેના કારણે પાચન તંત્રમાં દબાણ વધે છે. જો તમે નિયમિતપણે કાચા કેળા ખાઓ છો તો તમને એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જો તમે કાચું કેળું ખરીદો છો તો પણ તેને પહેલા પકાવો અને પછી ખાઓ.

જો તમે પણ આજ સુધી આ વસ્તુઓ આ રીતે ખાતા આવ્યા છો તો તમારી આદતોમાં થોડો ફેરફાર કરો. આ ખાદ્ય પદાર્થો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અમને આશા છે કે તમને આ માહિતી ગમશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાવાનું ભૂલશો નહીં.