જબલપુરમાં નર્મદા નદીના પાણી પર ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આ વૃદ્ધ મહિલાની પૂજા કરતા પણ જોવા મળે છે. સાથે જ કેટલાક લોકો એવું પણ કહે છે કે પાણીમાં હોવા છતાં આ મહિલાના કપડા ભીના થતા નથી.
મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતી મહિલાનો વીડિયો બધાને પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના પગ પાણીમાં ડૂબેલા છે. લોકો પણ તે સ્ત્રીને ‘નર્મદા દેવી’ માનીને પૂજા કરવા લાગ્યા છે.
आस्था या अंधविश्वास..अदभुत
पानी पर चली महिला, लोग मान रहे मां नर्मदा#MadhyaPradesh के #Jabalpur में नर्मदा नदी के तिलवारा घाट पर मानसिक रूप से कमजोर महिला ज्योतिबाई का नदी मे चलने का वीडियो वायरल है। घाट पर लोगो का हुजूम उमड़ा और महिला को देवी नर्मदा का स्वरूप बताया। #Narmada pic.twitter.com/TMcvnoclTI
— Shivam Gautam (@ShivamGautamBJP) April 9, 2023
લોકો સ્ત્રીનો પીછો કરે છે : જ્યારથી વૃદ્ધ મહિલાનો આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી લોકો આ મહિલાને ફોલો કરવા લાગી ગયા છે. આ વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે. ઘણા લોકો આ સ્ત્રીની પૂજા કરે છે અને ઘણા લોકો તેને ‘નર્મદા દેવી’ના નામથી બોલાવે છે. જ્યારે પોલીસને આ અંગેની જાણ થઈ, ત્યારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.
જ્યારે પોલીસે મહિલાની પૂછપરછ કરી તો મહિલાએ પોતાનું નામ જ્યોતિબાઈ જણાવ્યું હતું. તે જ સમયે, જ્યારે પોલીસે તેના વિશે વધુ માહિતી મેળવી તો જાણવા મળ્યું કે તે વર્ષ 2022 થી તેના ઘરેથી ગુમ થઇ હતી.
તેમના પુત્રએ ગુમ થયેલા અહેવાલમાં એમ પણ લખ્યું હતું કે તેની માતાની માનસિક સ્થિતિ સારી નથી. જ્યોતિએ પોતાના આ વાયરલ વીડિયો વિશે કહ્યું છે કે તે જ્યાં ઉભી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હતું. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે હું પાણી પર ચાલી રહી છું.
તમારું આ વિડિઓ વિશે શું કહેવું છે? વિડિઓ જોઈને નર્મદા માતા માની લેવું કેટલી અંધશ્રદ્ધા છે? જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ જાણકરી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.