how to remove black elbow and knee
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારા ઘૂંટણ કાળા થઇ ગયા છે તેથી તમે ટૂંકા કપડાં પહેરી શકતા નથી? શું કોણી કાળાશ દેખાય છે તેથી તમે કટસ્લીવ બ્લાઉઝ પહેરી શકતા નથી? જો તમે પણ વિચારી રહયા છો કે કાળા ઘૂંટણ અને કોણીથી કેવી રીતે છુટકારો મેળવી શકાય ? તો આ લેખ તમારા માટે જ છે.

જો કે, ત્વચાની કાળાશ તમને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, પરંતુ તમને આ લેખ વાંચીને આનંદ થશે કે તમે કેટલીક સરળ અને ઘરેલું ઉપાયો અને ટિપ્સની મદદથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

આજે અમે આ લેખમાં ઘૂંટણ અને કોણીની કાળાશને કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે જણાવીશું. તો ચાલો કાળા ઘૂંટણ અને કોણીઓથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેની કેટલીક ટિપ્સ જાણી લો, તમને ચોક્કસ મદદગાર સાબિત થશે.

નાળિયેર તેલ અને અખરોટ : નાળિયેર તેલ ત્વચા માટે શ્રેષ્ઠ હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ તેલ છે. તે ડ્રાઈનેસને અટકાવે છે અને તેમાં જોવા મળતું વિટામિન-ઈ ત્વચામાં સુધાર છે. અખરોટનો પાવડર સ્ક્રબ તરીકે કામ કરે છે અને તે ટૈનિંગ દૂર કરવામાં મદદ કરે છે.

સામગ્રી : નાળિયેર તેલ 1 ચમચી અને અખરોટ પાવડર 1 ચમચી. વિધિ – બેનને વસ્તુઓને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને 2 થી 3 મિનિટ સુધી કાળી કોણી અને ઘૂંટણ પર સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. પછી ત્વચાને પાણીથી ધોઈ લો.

દરરોજ સ્નાન કર્યા પછી તમારા ઘૂંટણ અને કોણીઓ પર નારિયેળનું તેલ લગાવો. રાત્રે સૂતા પહેલા ફરીથી તેનો ઉપયોગ કરો. તમે આ રીતે અઠવાડિયામાં બે થી ત્રણ વખત નાળિયેર તેલના સ્ક્રબનો ઉપયોગ કરો.

બદામનું તેલ : બદામનું તેલ વિટામિન-ઈથી ભરપૂર હોય છે. તે તમારા ઘૂંટણ અને કોણીની આસપાસની ત્વચાને રીપેર કરવામાં અને ડાર્ક સ્પોટ્સથી છુટકારો મેળવવામાં મદદ કરે છે .

આ માટે સામગ્રીમાં ફક્ત બદામ તેલ થોડા ટીપાંની જરૂર પડશે. બદામના તેલના થોડા ટીપાં તમારી આંગળીઓ પર લો અને તેને તમારા ઘૂંટણ અને કોણીઓ પર સારી રીતે લગાવો. થોડીવાર મસાજ કરો જેથી કરીને તેલ ત્વચામાં શોષાઈ જાય. ઘૂંટણ અને કોણી ની કાળાશ અને ડ્રાયનેસ દૂર કરવા માટે બદામનું તેલ રોજ સવારે અને એક વાર રાત્રે લગાવો.

3. એપલ સાઇડર વિનેગર : એપલ સાઇડર વિનેગરના એસિડિક ગુણ, મુખ્યત્વે એસિટિક એસિડ, કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તે ત્વચાને એક્સફોલિએટ કરે છે અને ત્વચાને હળવી કરે છે.

સામગ્રી : એપલ સીડર વિનેગર 2 ચમચી, પાણી 2 ચમચી અને કોટન બોલ 1. વિધિ – એપલ સીડર વિનેગરને પાણીમાં ઓગાળો. તેમાં કોટન બોલ પલાળીને ઘૂંટણ અને કોણીઓ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3 થી 4 વખત એપલ સીડર વિનેગરને લગાવો.

તમે પણ આ 3 ઘરગથ્થુ નુસખાને અજમાવીને કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરી શકો છો. જો કે, તે એક કુદરતી ઉપાય છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ તેમ છતાં, તેનો ઉપયોગ કરતા પહેલા, એકવાર નાનો પેચ ટેસ્ટ કરો. બ્યુટી સંબંધિત આવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા