ઉનાળાની ઋતુમાં આ 45 ડિગ્રી તડકા અને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ પાણી પીવું કોને નથી ગમતું. કલાકો સુધી તડકામાં રહ્યા પછી જ્યારે તમારું ગળું સુકાઈ જાય અને પરસેવો ટપકવા લાગે ત્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે તમને ફ્રીજમાં રાખેલું પાણી જ યાદ આવે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરમ હવામાનમાં ઠંડુ પાણી પીવું તમારા શરીર માટે કેટલું ફાયદાકારક છે? ક્યારેય મનમાં વિચાર આવ્યો છે કે, શું ફ્રીજમાં રહેલું ઠંડું પાણી જે તમારી તરસ છીપાવી દે છે તે ખરેખર તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન કરતું નથી?
શું તમે કોઈપણ સમસ્યા વગર ગમે તેટલું ઠંડુ પાણી પી શકો છો? વાસ્તવિકતા એ છે કે ફ્રિજમાં રહેલું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્યને અનેક નુકસાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે ઠંડુ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખરાબ છે.
ઠંડુ પાણી પાચન માટે સારું નથી : એક્સપર્ટ કહે છે કે ફ્રિજનું ઠંડુ પાણી અને કોઈપણ પ્રકારના ઠંડા પીણા પીવાથી રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે, જેના કારણે પાચનક્રિયામાં સમસ્યા થવા લાગે છે. વાસ્તવમાં, ઠંડુ પાણી પાચન દરમિયાન પોષક તત્વોના અવશોષણની કુદરતી પ્રક્રિયામાં પણ અવરોધ ઊભો કરે છે.
જ્યારે આપણે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પી લઈએ છીએ ત્યારે ખોરાક પચાવવામાં આવતી ગેસ્ટ્રિકની (જઠરાગ્નિ) આગ બુઝાઈ જાય છે, જેના કારણે ખોરાક પચવામાં તકલીફ થાય છે. ઠંડુ પાણી પીતાની સાથે જ શરીર તાપમાનને નિયંત્રિત કરવામાં વ્યસ્ત થઈ જાય છે અને તેનું ધ્યાન પાચનમાંથી હટી જાય છે.
ઠંડુ પાણી ડિહાઇડ્રેશન થઇ શકે છે : ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે કારણ કે તમારું શરીર આ તાપમાનને નિયંત્રિત કરવા માટે વધુ ઊર્જા ખર્ચે છે જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે. જ્યારે પણ તમે ઉનાળામાં પાણી પીવો છો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તમારે હંમેશા સામાન્ય તાપમાનના પાણીનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં પાણીની કમી ન થાય.
માથાનો દુખાવો અને ગળાના દુખાવાનું કારણ : ભલે ઉનાળો તેના ચરમસીમાએ હોય ત્યારે પણ ફ્રિજમાં રાખેલ ઠંડુ પાણી તમારા માથાનો દુખાવો અને ગળામાં ખરાશનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે તમે તડકામાંથી ઘરમાં આવો છો અને તરત જ ઠંડુ પાણી પીવો છો, તો તમને ઠંડી અને ગરમીને કારણે ગળું અને નાક બંધ થઈ શકે છે.
મુખ્યત્વે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી તમારી શ્વસનતંત્રમાં ઘણો લાળ જમા કરે છે અને લાંબા ગાળે ગળામાં દુખાવો થઈ શકે છે. ઘણી વખત ફ્રિજનું પાણી પીવાથી તમારા શરીરનું તાપમાન પણ વધી જાય છે અને વાયરલ તાવનો ખતરો રહે છે.
ચરબીના ભંગાણને અટકાવે છે : જ્યારે આપણે ખોરાકમાં ચરબીની માત્રા લઈએ છીએ, ત્યારે તેને તોડવામાં સમય લાગે છે અને તેને પચાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. નિષ્ણાતોના મતે, જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી તે ખોરાકની ચરબી જામી જાય છે, જેનાથી તમારા શરીર માટે અનિચ્છનીય ચરબીને તોડવાનું મુશ્કેલ બની જાય છે.
જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી પાણી પીવાનું ટાળવું સારું છે અને ફ્રીજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જે લોકો વજન ઓછું કરવાનું વિચારી રહયા છે તેમના માટે ખાસ છે.
હૃદયની ગતિમાં ફેરફાર : ઠંડુ પાણી હૃદયના ધબકારા ઘટાડવા માટે પણ જવાબદાર હોય છે. તે દસમા ક્રેનિયલ ચેતાને ઉત્તેજિત કરે છે જેને વેગસ તંત્રિકા કહેવાય છે. તે શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હૃદયના ધબકારા ઘટાડવામાં મધ્યસ્થી કરે છે.
ઠંડુ પાણી પીવાથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થાય છે, જે હૃદયના ધબકારા ઘટાડે છે. તેથી જ નિષ્ણાતો હંમેશા સામાન્ય તાપમાનનું પાણી પીવાની સલાહ આપે છે. જે લોકોને હૃદયના ધબકારાની અમાસય છે તેમને ઠંડુ પાણી ના પીવું જોઈએ.
ઠંડુ પાણી દાંતને નુકસાનકારક છે : ઘણી વાર ફ્રિજના ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી તમારા દાંતમાં સેન્સેટિવિટી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઠંડા પાણી પીવાથી પણ દાંતમાં ભારે દુખાવો થઈ શકે છે. જેમને દાઢમાં દુખાવો થાય છે તેમને ના પીવું હોઈએ.
આ બધા કારણોને લીધે તમારે ઉનાળાની ઋતુમાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ અને સામાન્ય રૂમ ટેમ્પરેચરવાળું પાણી પીવું જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો, બીજાને પણ જણાવો. આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.