લગ્નની સીઝન આનંદ માણવા, સગા – સબંધીઓને મળવા માટે અને સ્વાદિષ્ટ ભોજન ખાવાનો હોય છે. મંચુરિયન, ગુલાબ જામુન, બરફી અને આઈસ્ક્રીમ વગેરે જેવી અસંખ્ય મીઠાઈઓ વગેરે વગર લગ્ન અધૂરા લાગે છે. આ જ કારણ છે કે લગ્નની સિઝનમાં વજન વધી જાય છે.
પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલીક સ્માર્ટ રીતો જણાવી રહ્યા છીએ જે તમને વજનને વધતું અટકાવી શકે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
લગ્નમાં બુફે સ્વાદિષ્ટ વાનગીઓનો ખજાનો હોય છે. પરંતુ તમારે તમારા શરીર માટે એક વાર જરૂર વિચારવું જોઈએ કે, જમવાનું લગ્નનું છે, પરંતુ પેટ તો અમારું છે ને. તેથી પેટથી ન વિચારો, મગજથી વિચારવું જોઈએ, આવો જાણીએ કેટલીક ટિપ્સ વિશે.
બ્રાઉન પસંદ કરો : ઘઉંના દાણાના ત્રણેય ભાગો એટલે કે ચોકર, રોગાણુ અને બ્રાનમાં ખુબ માત્રામાં પ્રોટીન હોય છે. ઘઉંના લોટને પીસીને લોટ બનાવવામાં આવે છે. જ્યારે ઘઉંના લોટને કેટલીક પ્રોસેસ કરીને રિફાઇન્ડ કરીને બનાવવામાં આવે છે ત્યારે તે લોટ વધારે શુદ્ધ દેખાય છે, જેને આપણે મેદાનો લોટ કહીએ છીએ.
આ લોટમાં આખા ઘઉંના લોટ કરતાં ઓછા પોશાક તત્વો હોય છે કારણ કે તેના મોટાભાગના પોષક તત્વો રિફાઈનિંગ કરતી વખતે નષ્ટ થઈ જાય છે. ડિનર રોલ્સ, તંદૂરી રોટલી, રોમાલી રોટી અને પુરીઓ વગેરે સ્વાદિષ્ટ દેખાતી ખાદ્ય વસ્તુઓ સફેદ લોટમાંથી બનાવવામાં આવે છે.
તેથી જો તમે લગ્નની સીઝનમાં વજન નિયંત્રણ કરવા માંગો છો તો, લગ્નમાં બ્રાઉન બ્રેડ અથવા નાની રોટલી ખાવાનું પસંદ કરો, કારણ કે આ ખોરાકમાં ઓછી કેલરી હોય છે અને તે બીજી વાનગીઓની જેમ બિનઆરોગ્યપ્રદ નથી.
લગ્ન પહેલા કંઈક હેલ્ધી ખાઓ : મોટાભાગના લોકો વજન ઘટાડવાની આશામાં ભારે ભોજન લેતા પહેલા ભૂખ્યા રહે છે. પરંતુ ભૂખ્યા રહેવાથી મેટાબોલિજ્મ પણ ધીમો પડી જાય છે અને વજન વધવાની શક્યતા પણ વધી જાય છે. લગ્ન માટે બહાર જતા પહેલા તમે થોડો હેલ્ધી અને હળવો નાસ્તો કરીને જાઓ.
આ તમને ત્યાં સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ કરશે જ્યાં સુધી તમે લગ્ન સ્થળ પર ન પહોંચો. અને તમને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી અટકાવશે. આ સાથે, તમે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના તાજા ફળો અને શાકભાજી ખાઓ અને તમારું ભોજનને હળવું રાખો.
પુષ્કળ સલાડ ખાઓ : સલાડ એક જ હેલ્દી ખોરાક છે જે લગ્નની સિઝનમાં હોય છે, તો શા માટે તેનો લાભ ન લો? જો તમે સલાડ ન ખાતા હોવ તો પણ ખાતરી કરો કે તમે તમારી થાળીમાં ઓછામાં ઓછો 1/3 ભાગમાં તાજા ફળો અને શાકભાજીથી જરૂર હોવા જોઈએ.
હવે તમારી થાળીમાં સલાડ સિવાય, બીજું જમવાનું મસાલેદાર ખોરાક અને તેલયુક્ત ખોરાક હશે, સલાડ શરીરમાં એસિડિટીનું સ્તર સંતુલિત કરવામાં મદદ કરશે અને તમને છાતીમાં થતા બળતરાથી પણ બચાવશે.
લગ્નમાં ચાટ ખાવાનું ટાળો. હવે તમે કહેશો કે ચાટમાં કાચા શાકભાજી અને માત્ર ચટણી હોય છે. હકીકત એ છે કે ચાટની વસ્તુઓમાં ઘણી બધી ખાંડ અને વધારે મસાલા ઉમેરવામાં આવે છે. મોટાભાગની ચાટમાં બટાકા અથવા મેદાનો ઉપયોગ થાય છે.
બોડીને ડિટોક્સ કરો : ખાધા પછી આપણા શરીને ડિટોક્સ કરવા માટે એક સરસ રીત છે! તો તમારા દિવસની શરૂઆત ડિટોક્સ પીણાંથી કરો. આ માટે, 1 ગ્લાસ પાણી લો અને તેને થોડું કરીને તેમાં 1 ચમચી તાજા લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો.
પછી તેમાં 1/4 ચમચી તજ પાવડર ઉમેરો અને તેને પણ સારી રીતે મિક્સ કરો. હવે આ પીણાને હૂંફાળું જ પી જાઓ. આ તમને તમારા શરરીના ઝેરી તત્વોને બહાર કાઢવામાં ખુબ મદદ કરશે, જેનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
તળેલાને બદલે શેકેલી વસ્તુઓ ખાઓ : જો કે, તળેલા વેડિંગ સ્ટાર્ટર્સ ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં ખુબ જ આકર્ષક લાગે છે, તમે તેને ખાવાનું શરૂ કરો તે પહેલાં, તેના પોષક તત્વો વિશે પણ જાણો.
તેલવાળો ખોરાક ચરબી શોષી લે છે અને પોષક મૂલ્ય પણ ગુમાવે છે. આથી, તળેલા ખોરાક ખાવાથી લોહીના સરળ પ્રવાહમાં વિક્ષેપ પડી શકે છે, શરીરનું વજન વધી શકે છે અને તમારી ધમનીઓ બંધ થવાનું જોખમ વધી શકે છે.
બીજી બાજુ, ગ્રિલિંગ ખોરાક ખોરાકને વધુ પોષક તત્વો જાળવી રાખવામાં અને ઓછી ચરબીને શોષવામાં મદદ કરે છે, જેના કારણે તે હેલ્દી વિકલ્પ બની જાય છે. હવે તમે પણ વજન વધવાની ચિંતા કર્યા વિના લગ્નનો આનંદ માણી શકો છો.