‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ખુબ જ પ્રખ્યાત છે. આ ટીવી શોનું દરેક પાત્ર ખૂબ ખાસ છે. બીજી તરફ દિલીપ જોશીની વાત કરીએ તો અભિનેતાએ આ શો માં જેઠાલાલનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે.
શું તમે જાણો છો કે અભિનેતાને જેઠાલાલનો રોલ મળી રહ્યો ન હતો પરંતુ બાપુનો રોલ ઓફર કરવામાં આવી રહ્યો હતો, તો ચાલો જાણીએ જેઠાલાલનો રોલ અભિનેતાને કેવી રીતે મળ્યો.
વર્ષોની મહેનત અને તેના જોરદાર અભિનયથી અભિનેતાને એક અલગ ઓળખ મળી હતી. તમને જણાવી દઈએ કે જેઠાલાલનો રોલ સૌથી પહેલા દિલીપ જોશીને નહીં પણ કોમેડિયન રાજપાલ યાદવને આપવામાં આવ્યો હતો, જેમણે ‘ચુપ ચૂપ કે’થી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
આ વાતનો ખુલાસો અન્ય કોઈએ નહીં પણ કોમેડિયન રાજપાલ યાદવે પોતે કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆતમાં તેને જેઠાલાલનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. આ વાત ચોંકાવનારી છે પણ બિલકુલ સાચી છે.
રાજપાલ યાદવે વધુમાં કહ્યું કે સમયના અભાવે તેણે આ રોલ પાડી હતી. પછી દિલીપ જોશીને આ રોલ મળ્યો. દિલીપ જોષીએ ફિલ્મોમાં સાઈડ રોલમાં પણ કામ કર્યું છે. તે જ સમયે, જેઠાલાલની ભૂમિકામાં અભિનેતાને ખૂબ પસંદ કરવામાં આવે છે.
દિલીપ જોશી વગરનો આ શો જોવાનું દર્શકોને બિલકુલ પસંદ નથી. આ ભૂમિકા ભજવીને દિલીપ જોશી ટીવીના સૌથી પ્રિય કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયા છે. આજે કોઈપણ દર્શકોને તેમના વિના આ શો અધૂરો જ લાગે છે.
જો તમને પણ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા શો ગમે છે તો તમને ખબર પડી ગઈ હશે કે જેઠાલાલને રોલ કેવી રીતે મળ્યો. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.