વાળ ખરવા એ આજકાલ સામાન્ય સમસ્યા છે જેનાથી મોટાભાગની મહિલાઓ ચિંતામાં રહે છે. એક જ વાળ છે જે આપણા વ્યક્તિત્વને નિખારે છે પરંતુ જ્યારે વાળ જ નબળા, નિસ્તેજ અને વારંવાર ખરવા લાગે છે તો આપણો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે.
આના કારણે મહિલાઓ કેટલા તેલ, સીરમ, શેમ્પૂ અને બીજી પ્રોડક્ટના પાછળ પૈસા બગાડે છે, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. જો તમે જાણી જશો કે વાળ ખરવાના કારણો શું છે, તો અડધી સમસ્યા ત્યારે જ દૂર થઈ શકે છે. કદાચ તમે જાણતા નહીં હોય, પરંતુ આપણી ખોટી આદતોના કારણે વાળ ખરે છે, તો ચાલો જાણીયે કઈ છે આ આદતો.
1 વારંવાર શેમ્પૂ કરવાથી : જો તમને લાગતું હોય કે તમારા વાળને દરરોજ ધોવાથી સ્વચ્છ અને સિલ્કી રહે છે, તો અમે તમને જણાવી દઈએ કે વાળ ખરવાનું જોખમ પણ એટલું જ છે. હકીકતમાં, શેમ્પૂમાં સલ્ફેટ જેવા કેમિકલ્સ વાળને નબળા બનાવે છે અને દરરોજ શેમ્પુથી વાળ ધોવાથી વાળ તૂટવા લાગે છે.
2 હર ટૂલ્સ નો વધારે ઉપયોગ : આજકાલ મોટાભાગની મહિલાઓ વાળને ક્યારેક કર્લ્સમાં અથવા ક્યારેક સ્ટ્રેટ (સીધા) કરવાનું પસંદ કરે છે. વારંવાર સ્ટાઇલ કરવાને કારણે પણ વાળ તૂટે છે. હેર સ્ટાઇલ ટૂલ્સની ગરમી વાળને કમજોર બનાવે છે અને વાળની કુદરતી ટેક્ચરને બગાડે છે. જેના કારણે વાળ પાતળા થાય છે અને ખરવા લાગે છે.
3 ભીના વાળ કાંસકો કરવો : શું તમે પણ આવું કરો છો? ઉતાવરમાં સ્નાન કરીને તરત જ વાળમાં કાંસકો કરો છો. આ સૌથી ખરાબ આદત છે, જેના કારણે વાળ તૂટે છે. જ્યારે તમારા વાળ ભીના હોય ત્યારે તેના મૂળ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જયારે તે થોડા ખેંચાય છે ત્યારે તરત તૂટી જાય છે. તેથી તમારે તમારા ભીના વાળમાં કાંસકો ક્યારેય ના કરવો જોઈએ.
4. ગરમ પાણીથી વાળ ધોવા : વાળ ખરવાનું બીજું કારણ ગરમ પાણી પણ છે, જો તમે તમારા વાળને ખૂબ જ ગરમ પાણીથી ધોશો તો તમને પણ ડેન્ડ્રફની સમસ્યા પણ થશે, તમારા વાળના મૂળ નબળા પડશે અને વાળ ખારવા લાગશે. તેથી વાળને ગરમ પાણીથી ધોવાનું બંધ કરવું જોઈએ.
5. ખોટો કાંસકો વાપરવાને કારણે : જો તમે તમારા ગંઠાયેલ અથવા ગૂંચવાળા વાળમાં ઝીણા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો છો, તો તમારા વાળ તૂટવાની શક્યતા વધી જાય છે, તેથી તમારા વાળને બરછટ-દાંતાવાળા કાંસકાથી વિખેરી નાખો. ખાસ કરીને જયારે તમારા ભીના વાળ હોય ત્યારે, ઝીણા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ ના કરો.
6. બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાને કારણે : આયર્ન, વિટામિન-એ, સી અને ઝિંક એવા તત્વો છે જે વાળ ખરવા માટે જવાબદાર છે, તેથી જો તમારા વાળ ખરી રહ્યા છે તો પહેલા જાણો કે તમે આ ઘટકોનું સેવન કરી રહ્યાં છો. આ સિવાય વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાથી પણ વાળ ખરે છે.
7. તણાવને (સ્ટ્રેસ) કારણે : જો તમે નાની-નાની બાબતોમાં સ્ટ્રેસ લઇ લો છો તો તણાવના કારણે વાળ ખૂબ જ ખરી જાય છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે શરીર યોગ્ય રીતે કામ કરતું નથી અને તમારા વાળને યોગ્ય પોષણ આપવા માટે સક્ષમ નથી જે વાળના ફોલિકલ્સને નબળા બનાવે છે, જેનાથી વાળ ખરવા લાગે છે.
8. બ્લો ડ્રાયરને કારણે : બ્લો ડ્રાયરના ઉપયોગથી, તેની ગરમી તમારા વાળને નુકસાન પહોંચાડે છે અને વાળ તૂટવા લાગે છે. જો તમારે તમારા વાળ ઝડપથી સૂકવવાના હોય તો, વાળને ઓછામાં ઓછા 60-70 ટકા સુકાય તેની રાહ જુઓ અને પછી થોડું દૂર રાખીને તમારા વાળને બ્લો ડ્રાય કરો. ધ્યાન રાખો કે વાળને સુકાવા માટે દરરોજ બ્લો ડ્રાયનો ઉપયોગ ના કરો.
9. વાળ ટાઈટ બાંધવાને કારણે : શું તમે વારંવાર અંબોરો અને ટાઈટ ચોટલો કે ચોંટી બનાવો છો, તો આ કરવાનું પણ ટાળવું જોઈએ. વાળને વધુ ટાઈટ બાંધવાથી વાળના મૂળ નબળા થઈ જાય છે અને જો લાંબા સમય સુધી બાંધવામાં આવે તો વાળ તૂટવા લાગે છે.
10. ઊંઘના અભાવને કારણે : 7 કલાકથી ઓછી સૂવાથી તમારા વજન પર પ્રતિકૂળ અસર કરશે અને તે વાળ ખરવા તરફ દોરી જશે. તેથી જ્યાં સુધી તમે 7 કલાકની ઊંઘ પૂરી ના થાય ત્યાં સુધી પથારીમાંથી ઉઠવાનો પ્રયાસ ના કરો.
આ ઉપર જણાવેલી 10 આદતો તમારા વાળને નબળા બનાવે છે. તમારા વાળની ચમક ઓછી થાય છે અને વાળ તૂટે છે, તેથી સારી આદતો અપનાવીને આ ખરાબ આદતો બદલો. આશા છે કે તમને આ માહિતી મદદરૂપ થશે. આવી જ માહિતી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.