આપણે બધાએ સાંભળ્યું છે હશે કે રાત્રે ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ. સૂવાના થોડા કલાક પહેલાં જમી લેવું જોઈએ. રાત્રે ખાવાનું ક્યારેય ના છોડવું જોઈએ. આપણે બધાએ આ ઘણી વાર આપણા દાદા દાદીના મોઢે સાંભળ્યું છે. પરંતુ આપણે તેનું ક્યારેય પાલન કરતા નથી.
આપણે બધા જાણીએ છીએ કે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે સવારે ન ખાવી જોઈએ, પરંતુ જ્યારે રાત્રીના સમયે જમવાની વાત આવે ત્યારે ઘણા લોકો તેના વિશે વધુ વિચારતા નથી. એવી ઘણી વસ્તુઓ છે જે રાત્રિભોજનમાં ખાવાથી વજન ઊંઘબગડી શકે છે.
જ્યારે સવારે હેલ્ધી નાસ્તો કરવો સારો વિચાર છે, ત્યારે હેલ્ધી ડિનર પણ એક મહત્વનું પાસું છે, ખાસ કરીને જેઓ વજન ઘટાડવાનો વિચાર કરી રહયા છે તેમના માટે. આપણું શરીર વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો પર અલગ પ્રતિક્રિયા આપે છે અને આ પાચન, શરીરનું વજન અને ઊંઘને અસર કરી શકે છે.
વાસ્તવમાં, કેટલાક લોકોને ગેસ, એસિડિટી, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન, ઊંઘમાં ખલેલ, વજન વધવું વગેરે જેવી સમસ્યાઓ વધી શકે છે, તેથી તમારે રાત્રે કઈ વસ્તુ ખાવાની ટાળવી જોઈએ તેના વિશે તમારે સાવચેત રહેવાની જરૂર છે. નહિંતર, તમને કફ, શરદી, ઉધરસ અને એલર્જી, વધુ પડતું વજન, અપચો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
દહીં : હેલ્ધી ફૂડની યાદીમાં દહીંનું નામ સૌથી ઉપર આવે છે. દહીં સારા બેક્ટેરિયાનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનમાં મદદ કરે છે. તે તમારા દાંત અને હાડકા માટે સારું છે. પરંતુ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ, ખાસ કરીને જો તમને ઉધરસ અને શરદી થવાની સંભાવના હોય.
આયુર્વેદ જણાવે છે કે રાત્રે દહીંનું સેવન સારું નથી કારણ કે તે લાળ ઉત્પન્ન કરે છે. પરંતુ જો તમે તેના વિના ખાવાનું પસંદ નથી તો તેના બદલે તમે છાશ પસંદ કરી શકો છો.
કાચું સલાડ : ઘણીવાર જ્યારે આપણે મોડી સાંજે ખાવાની ઈચ્છા ધરાવીએ છીએ ત્યારે આપણે તાજા શાકભાજીના કચુંબર પસંદ કરીએ છીએ કારણ કે તે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ શું ખરેખર એવું છે? તો ચાલો તમને જણાવી દઈએ કે એવું બિલકુલ નથી.
આનું કારણ એ છે કે પાચનતંત્રમાં ચોક્કસ લય હોય છે. સવારે પાચનક્રિયા વધુ સક્રિય હોય છે અને સાંજે ધીમી પડી જાય છે. તે યાદ રાખવું જોઈએ કે કાચા ખોરાક પર પ્રક્રિયા કરવી વધુ મુશ્કેલ છે અને તેના પર વધારે એનર્જી ખર્ચ થાય છે.
ફળ : સૂવાના સમયે ફળ ખાવાથી કેલરી અને શુગર વધે છે. સૂતા પહેલા તેને ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે, જેના કારણે તેઓ બીજા દિવસે થાક અનુભવે છે. જો કોઈ વ્યક્તિ એસિડ રિફ્લક્સથી પીડિત હોય તો સૂતા પહેલા ફળ ખાવાથી નુકસાન થઈ શકે છે. નારંગી અને અનાનસ જેવા તમામ ખાટા ફળો એસિડ રિફ્લક્સ ધરાવતા લોકો માટે ઘણીવાર સમસ્યારૂપ હોય છે.
ચોકલેટ : આપણામાંથી મોટા ભાગના લોકો ચોકલેટ પસંદ કરે છે. તેને ખાવાની ઈચ્છા ખાસ કરીને રાત્રે થાય છે અને મોટાભાગના લોકોને સૂતા પહેલા તેને ખાવાનું પસંદ કરે છે.
દુઃખદ સમાચાર તદ્દન વિપરીત છે કારણ કે સુવાના સમય પહેલાં ચોકલેટ ખરેખર તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. રાત્રે ચોકલેટ ખાવાનું ટાળો કારણ કે તેનાથી દાંતની સમસ્યા થઈ શકે છે. ચોકલેટમાં ઓછી માત્રામાં કેફીન હોય છે જે બેચેની અથવા ઊંઘમાં મુશ્કેલીમાં પરિણમે છે.
માંસાહારી અને પચવામાં ભારે ખોરાક : આ પ્રકારના ખવામાં પ્રોટીન ભરપૂર હોય છે જે પાચન માટે ઘણી એનર્જી લે છે અને આ પ્રક્રિયાને લંબાવવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. આ પ્રોટીનમાં એમિનો એસિડ-ટાયરોસિન હોય છે જે બ્રે ની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે.
ફ્રોઝન અને ઠંડો ખોરાક : આઈસ્ક્રીમ એ દરેક વ્યક્તિની પ્રિય છે જે સામાન્ય રીતે આપણે સૂતા પહેલા ખાવાનું પસંદ કરીએ છીએ. આઇસક્રીમથી ભરેલો બાઉલ લલચાવી શકે છે, પરંતુ તેમાં રહેલી ખાંડ પાછળથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
તેમાં ઘણી બધી ચરબી હોય છે અને ઓછી ચરબીવાળી આઈસ્ક્રીમમાં પણ ખાંડ વધારે હોઈ શકે છે જે પચવામાં સમય લાગી શકે છે. એટલા માટે તમારું શરીર જ્યાં સુધી ખોરાક પચી ન જાય ત્યાં સુધી આરામ કરી શકતું નથી. કેન્ડી, આઈસ્ક્રીમ, કેક વગેરે અદધજી રાત્રે યોગ્ય નથી.
જો તમે પણ રાત્રે આ વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી દૂર રહો. જો તમને લેખ પસંદ આવ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.