વરિયાળી એક એવી સામગ્રી છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. સામાન્ય રીતે લોકો ભોજન કરી લીધા પછી તેનું સેવન કરે છે. અને એજ રીતે એવી કેટલીક વાનગીઓમાં તેનો ઉપયોગથી સ્વાદ પણ વધારી શકાય છે. આમ તો વરિયાળીનો ટેસ્ટ અદ્ભુત હોય છે પણ સાથે તેના સ્વાસ્થ્ય લાભો પણ ઓછા નથી.
તે વિટામિન સી અને ડાયેટરી ફાઇબરનો એક સારો સ્રોત માનવામાં આવે છે. આ સિવાય તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ અને ફોલેટ પણ હોય છે. જો તમે તેનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરો છો, તો તમને કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને નિયાસિન પણ મળે છે.
વરિયાળી ઘણી બધી રીતે ખાઈ શકાય છે પણ જો તમને સાદુ દૂધ પીવું ના પસંદ હોય તો તમે વરિયાળીનો પાઉડર દૂધમાં મિક્સ કરીને પી શકો છો અને તે દૂધનો સ્વાદ વધારવાની સાથે તમે તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મેળવી શકો છો.
હોઈ શકે છે કે આજસુધી તમે વરિયાળીના દૂધનું સેવન ના કર્યું હોય, પરંતુ આજે આ લેખમાં તમને વરિયાળીનું દૂધ પીવાના કેટલાક આશ્ચર્યજનક ફાયદાઓ વિશે જણાવીશું.
વરિયાળીનું દૂધ બનાવવાની રીત : વરિયાળીના દૂધના ફાયદા જાણતા પહેલા તમારે તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ તેની જાણકારી હોવી જોઈએ. આ માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી વરિયાળી ઉમેરો અને મિશ્રણને થોડા સમય માટે ઉકાળો. આ ઉકાળો ગળી લો અને તેને ગરમા ગરમ સર્વ કરો.
મોંમાંથી આવતી ખરાબ શ્વાસથી છુટકારો : વરિયાળીને આમ તો એક માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. આ અર્થમાં જોઈએ તો તે ખરાબ શ્વાસ સામે લડવામાં મદદરૂપ છે. તેથી જે લોકોને વારંવાર ખરાબ શ્વાસ અથવા ખરાબ દુર્ગંધની સમસ્યા છે તેમને વરિયાળીના દૂધનું સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
પાચન તંત્રને બાય-બાય કહો : વરિયાળી પાચન તંત્ર માટે ખૂબ સારી માનવામાં આવે છે. પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખૂબ અસરકારક રીતે કામ કરે છે. જો તમને પણ અપચોની સમસ્યા છે તો વરિયાળીનું ગરમ દૂધ પીવાને બદલે તમારે ઠંડુ દૂધ પીવું જોઈએ. આ માટે તમે ઠંડા દૂધમાં વરિયાળીનો પાવડર મિક્સ કરીને પીવાથી તમને ઘણા ફાયદા થશે.
ખીલને દૂર કરે છે : જે મહિલાઓના ચહેરા પર ખીલ છે અને તેમને થોડું કાબૂમાં રાખવા માગે છે તો તેમના માટે વરિયાળીના દૂધનું સેવન કરવું એક સારો વિચાર સાબિત થઈ શકે છે, આનું કારણ એ છે કે વરિયાળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારા ચહેરાને ખીલથી દૂર રાખે છે.
એટલું જ નહીં, તે તમારા શરીરના લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને તેના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર અને બેડાઘ દેખાય છે.
વજનને વધતું રોકે છે : જો તમે અત્યારના દિવસોમાં વજનને નિયંત્રિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો તમે વરિયાળીનું દૂધ પીવાથી લાભ મેળવી શકો છો. હકીકતમાં જ્યારે વરિયાળીને આહારમાં શામેલ કરવામાં આવે છે, ત્યારે તે તમારા ચયાપચયને બુસ્ટ કરે છે. જેના કારણે તે તમને કેલરી બર્ન કરવામાં મદદ થાય છે અને વજનને નિયંત્રિત કરવું સરળ બને છે.