તમે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે પોષક તત્વોથી ભરપૂર ફળોને તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. સંતરા પણ એક એવું ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને સૌથી સારી વાત એ છે કે તે બજારમાં સરળતાથી મળી રહે છે. ત્વચા માટે સંતરા વિટામિન સીથી ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે.
સંતરામાં વિટામિન સી હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે. સંતરાનો આહારમાં સમાવેશ કરીને તમે ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. તમને જણાવી દઈએ કે સંતરામાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જે તમને શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે.
1. હેલ્દી ત્વચા : સંતરા ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ કરે છે. વિટામિન સી સિવાય વિટામિન એ અને વિટામિન ઇ પણ સંતરામાં મળી આવે છે. તો તમે સંતરાને ડાયટમાં સમાવેશ કરીને ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.
2. ગ્લોઈંગ ત્વચા : સંતરાની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
3. કરચલીઓ : જો તમારી ત્વચામાં સમય પહેલા કરચલીઓ દેખાવા લાગી છે. તો તમે તમારા આહારમાં સંતરાનો રસ અથવા સંતરાનો સમાવેશ કરી શકો છો, કારણ કે તેમાં જોવા મળતા પોષક તત્વો ચહેરાની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
4. ખીલ : સંતરામાં જોવા મળતા વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે, જે તમારી ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.