fateli aedi cream
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું શિયાળામાં થતા પગના પગના વાઢિયા ની દવા વિષે અને કેવી રીતે તેનો કાયમી છુટકારો મેળવી શકો છો . ફાટેલી એડી એક મોટી સમસ્યા છે અને શિયાળામાં સુધી વધારે અસર જોવા મળે છે. તે ખરાબ પણ દેખાય છે અને સાથે પીડાદાયક પણ હોય છે કે તમે ચાલતી વખતે પણ મુશ્કેલી પડે છે.

વરસાદની ઋતુમાં તો પગની ઘૂંટીમાં ફંગસ લાગી જાય છે અને શિયાળામાં આ સમસ્યા એટલી બધી વધી જાય છે કે તમારા માટે ઉઠવું, બેસવું, મોજાં પહેરવામાં પણ મુશ્કેલી આવે છે. જો જોવામાં આવે તો ઉનાળામાં આ સમસ્યાથી છુટકારો મેળવવો સરળ હોય છે કારણ કે ત્વચામાં કુદરતી રીતે રૂઝ આવે છે. જો ઉનાળામાં પણ તમારી હીલ્સ ખૂબ ફાટી ગઈ છે તો તમારે તેને કેવી રીતે ઠીક કરવી તેની કાળજી લેવાની જરૂર છે.

તમે પણ આ માટે ઘરે એક સારી ક્રીમ બનાવી શકો છો અને તેની અસર તમને પહેલા દિવસથી જ દેખાવા લાગશે. આ ક્રીમ આપણ ઘરમાં હાજર સામગ્રીથી બનાવીશું જેથી તમારે બહારથી કઈ પણ વધારે ખરીદી કરવી નહિ પડે.

ઘણીવાર તમે ઘરમાં જોયું હશે કે આપણી મમ્મી, કાકી, દાદી વગેરેના પગ ખૂબ ફાટી ગયા હોય છે અને તે ઘરના કામકાજમાં એટલા વ્યસ્ત હોય છે કે તે ધ્યાન આપી શકતા નથી. તેથી તેમના માટે પણ આ ઘરેલું ઉપાય ઘણો સારો સાબિત થઈ શકે છે.

સામગ્રી : 1 મીણબત્તી સફેદ રંગની, નાળિયેર તેલ, સરસવનું તેલ, એલોવેરા જેલ. તેને બનાવવામાં તમને ફક્ત 10 થી 15 મિનિટનો સમય લાગશે તેથી તમારે વધારે મહેનત લાગશે નહીં.

બનાવવાની રીત : સૌથી પહેલા મીણબત્તીને છીણી લો જેથી નાની છાલ જેવું થઇ જશે. હવે તમારે તેને માપવું પડશે કારણ કે જો મીણ વધારે હશે તો આપણો ઘરેલુ ઉપાય સારો નહીં બને. ધારો કે 1 વાટકી મીણ છે તો તમારે 1.5 વાટકી સરસવનું તેલ, 1 વાટકી નારિયેળનું તેલ અને 1 વાટકી એલોવેરા જેલ લેવી પડશે.

આ બધી સામાગ્રીને તે જ બાઉલથી માપો જેમાંથી મીણ માપવામાં આવ્યું હતું. હવે તમારે તેને 5 મિનિટ સુધી ધીમી આંચ પર હલાવતા રહેવાનું છે. હવે તેને ઠંડુ કરવું પડશે, પરંતુ અહીં પણ એક કામ કરવું પડશે. એટલે કે જો તમે તેને હલાવતા નહિ રહો, તો અહીં મીણ અને નારિયેળનું તેલ જામી જશે અને સરસવનું તેલ જામશે નહીં.

આ સ્થિતિમાં તમે જે વાસણમાં આ મિશ્રણને કાઢ્યું છે તેને ઠંડા પાણીમાં રાખો અને જ્યાં સુધી તે થોડું જામી ના જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. આમ કરવાથી તેની કન્સીસ્ટન્સી ખૂબ સારી આવશે અને તે જામી પણ જશે. તમે તેને હંમેશા ઢાંકીને જ રાખો.

તેને પગ પર કેવી રીતે લગાવું જોઈએ : નહાયા પછી પગની ત્વચા ખૂબ ભીની થઈ ગઈ હોય છે તો તમે ડેડ સ્કિનને સારી રીતે સ્ક્રબ કરીને કાઢી લો. આ સમયમાં તમને ઘણો આરામ મળશે. આ 5 મિનિટને તમારે તમારા પગને આપવાની છે જેથી તમને પગમાં આરામ મળે અને તે પછી બનાવેલા ઘરેલુ ઉપાયને તમારા પગ પર લગાવો.

તેને કાં તો 10 મિનિટ સુધી બેસી રહો અને તમારા પગની એડીમાં શોષાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ અથવા તેને લગાવીને મોજા પહેરી લો. તેને તમે કોઈપણ ઋતુમાં લગાવી શકો છો અને તમારા પગને સાફ રાખી શકો છો. તેની અસર તમને પહેલી વખતથી જ જોવા મળશે.

પરંતુ તેને પગની સાથે હાથ પર ના લગાવો કારણ કે તેમાં મીણનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો તે ખાતા અને કામ કરતી વખતે તમારા હાથમાં મીણ લાગી જશે. તેથી તેનો ઉપયોગ ફક્ત પગમાટે જ કરો. નોંધ: જો તમારી પાસે ફ્રેશ એલોવેરા જેલ નથી, તો તમે બજારમાંથી લાવેલી જેલને ઉપયોગ કરશો નહીં.

તેના બદલે જ્યારે તે બની જાય અને બધી સામગ્રી ઓગળી જાય ત્યારે વિટામિન ઇ ની બે થી ત્રણ કેપ્સ્યુલ નાખી દો. આ જેલને ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકાય છે અને તે તમારી મોંઘી ક્રીમની જેમ જ કામ કરશે.

આ પણ વાંચો – Pag na vadhiya ni dava

આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે અને તમારી મહેનત પણ ઓછી કરવી પડશે. તેનો એકવાર જરૂર ટ્રાય કરો. જો તમારી એડી વધારે ફાટી ગઈ હોય તો તમને થોડો સમય જરૂર લાગશે, પરંતુ તેની અસર ચોક્કસ દેખાશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “જૂનામાં જુના વાઢિયા એક જ દિવસમાં મટી જશે”