how to balance vat pit kaf in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભગવદ ગીતા મુજબ, વ્યક્તિ જે પણ ખોરાક ખાય છે તેની સીધી અસર તેના વિચારો, ચારિત્ર્ય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. તેથી, પ્રાચીન સમયથી જ ખોરાકને 3 મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો, જેમ કે સાત્વિક ખોરાક, રાજસિક ખોરાક અને તામસિક ખોરાક.

ત્રણ પ્રકારના આહાર વચ્ચે શું તફાવત છે : રાજસિક આહારમાં મરચાં, ઘી તેલ અને મસાલાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તામસિક આહારમાં માંસ, માછલી અને આજકાલ જંક ફૂડ વગેરે. સાત્વિક આહાર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાત્વિક આહારથી વાત, પિત્ત અને કફ સંતુલિત થાય છે. આ ત્રણ દોષો બધા રોગોનું કારણ બને છે અને તેથી 3 દોષોને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે.

તો સાત્વિક આહાર શું છે? સાત્વિક સંસ્કૃત શબ્દ “સત્વ” પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે શુદ્ધ, સ્વચ્છ અને મજબૂત ઊર્જા થાય છે. છાંદોગ્ય ઉપનિષદ અનુસાર સાત્વિક ખોરાક ખાવાથી મનની શુદ્ધિ થાય છે. આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે, આમ શરીર અને મન બંને સાફ થઇ જાય છે.

આવો ખોરાક ખાવાથી તમને સારું પોષણ, સારું સ્વાસ્થ્ય મળે છે અને પાચનક્રિયામાં પણ સુધારો થાય છે. સાત્વિક ખોરાક ખૂબ જ કુદરતી હોય છે, કારણ કે તેમાં બધા તાજી અને ઔષધીય સામગ્રી હોય છે. આ આહાર એટલો હળવો છે કે ખાધા પછી તમને પેટ ભારે કે સુસ્તીનો અનુભવ થતો નથી.

કયા ખોરાકથી સાત્વિક આહાર બને છે? સાત્વિક આહારમાં તાજા ફળો – શાકભાજી, અંકુરિત અનાજ, મધ, કઠોળ, દાળ, આદુ, ગોળ, અશુદ્ધ ખાંડ, હળદર, કાળા મરી, ધાણા, તાજી વનસ્પતિ, દૂધ અને ડેરી પ્રોડક્ટ, ઘી, બદામનો સમાવેશ થાય છે. સાત્વિક ખોરાક વ્યક્તિને શાંત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહો છો.

1. રોગપ્રતિકારક શક્તિ વધારે છે : સાત્વિક આહાર કાચા શાકભાજી અને સલાડના પોષક તત્વોને 40% સુધી વધારી શકે છે. તે આવશ્યક પોષક તત્ત્વો, આહાર ફાઇબર, એન્ટીઑકિસડન્ટો, પ્રોટીન, ખનિજો અને મોનોસેચ્યુરેટેડ ચરબી મેળવવામાં મદદ કરે છે. આ સાથે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ પ્રોત્સાહિત કરે છે.

2. રોગોથી બચાવે છે : ફાઈબર, પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટો જૂની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તે તમને તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ જેવા જંક ફૂડથી દૂર રહેવામાં પણ મદદ કરે છે અને સાત્વિક આહાર શરીરને અનેક પ્રકારના સંક્રમણથી પણ બચાવે છે.

3. શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે : જો તમને લાગતું હોય કે તમારું પેટ ફૂલેલું છે, માથાનો દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ, થાક અથવા ઉબકા આવે છે, તો આ શરીરમાં ઝેરી પદાર્થોના લક્ષણો છે. જો તમે સાત્વિક આહાર લો છો તો આ ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ મળશે.

4. વજન ઘટાડવા : સાત્વિક આહાર વજન ઘટાડવામાં પણ ખુબ મદદરૂપ થાય છે, આ સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન જેવા ઘટકોથી ભરપૂર હોય છે અને કેલરી ઘટાડવામાં પણ મદદ કરે છે. તમને સંતુષ્ટ પણ રાખે છે.

5. પાચન તંત્ર સુધારે છે : સાત્વિક આહારમાં તાજું ખાવાનું હોય છે. શાકભાજી અને ફળોમાં સારી માત્રામાં પોષક તત્વો, મિનરલ્સ અને ફાઈબર હોય છે, તેથી જ ખોરાકમાં ફાઇબર હોવાથી ખોરાક સરળતાથી પચે છે.

6. એનર્જી આપે છે : જો તમે સાત્વિક આહાર લેવાનો શરુ કરો છો તો, થોડા દિવસોમાં જ તમારું શરીર હળવું, ઉર્જાવાન અને ખુશ અનુભવશે. તમે સકારાત્મક ઉર્જા સાથે સારી રીતે કામ કરશો.

તેથી ધીમે ધીમે તમારા આહારમાં સાત્વિક ખોરાક શરૂ કરો અને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા શીખો. કારણ કે તે તમારા શરીરમાં સારા સ્વાસ્થ્ય, સારી ઉર્જા અને મનને સકારાત્મક રાખવામાં ખુબ જ મદદ કરે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા