holi kapooor na upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હોળીનો તહેવાર હિંદુઓના મુખ્ય તહેવારોમાં એક છે. તે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. મુખ્યત્વે આ તહેવાર રંગોનો છે પરંતુ હોળી દહન રંગ રમવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે હોળીની અગ્નિમાં તમામ બુરાઈઓનો નાશ થાય છે અને લોકો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘણા વિશેષ ઉપાયો અજમાવતા હોય છે. આવા જ જ્યોતિષીય ઉપાયોમાંથી એક કપૂરના કેટલાક એવા ઉપાય છે, જેના દ્વારા ઘરની સુખ-સમૃદ્ધિની સાથે આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કપૂર બાળવાથી રોગો અને દોષો પણ મુક્ત થાય છે.

હિંદુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર ઘરમાં કોઈપણ પૂજા સમયે કપૂરનો ઉપયોગ ખૂબ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે. ખાસ કરીને હોળી દહનના દિવસે, જો તમે આ લેખમાં સૂચવેલા કેટલાક સરળ ઉપાયો અજમાવો, તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

કપૂર અને ઘીનો ઉપાય : હોળી દહનના દિવસે ઘીમાં પલાળેલા કપૂરને સળગાવી દો અને બળેલા કપૂરને આખા ઘરમાં ફેરવો જેથી તેની સુગંધ ઘરના ખૂણે ખૂણે ફેલાય. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપાય સુખ-શાંતિ જાળવી રાખે છે અને સંબંધોને મજબૂત બનાવે છે.

લવિંગ અને કપૂર બાળી નાખો : હોળી દહનની રાત્રે, માટીના વાસણમાં મુખ્યત્વે લવિંગ અને કપૂર સળગાવી દો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. કપૂર સળગાવતી વખતે તેમની સંખ્યા 5 કે 7 રાખો અને તે જ સંખ્યામાં લવિંગ બાળી લો.

આ ઉપાયથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કપૂર અને લવિંગની સુગંધ ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે.

કપૂર અને ગુલાબની પાંખડીઓનો ઉપાય : હોળી દહનની રાત્રે ગુલાબની પાંખડીઓ સાથે કપૂરનો ટુકડો સળગાવો અને તેની રાખ હોલિકા દહનના સ્થળે વિસર્જન કરો. આ ઉપાયથી તમને ધનની પ્રાપ્તિ થશે અને ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે.

ઘરની આ જગ્યાઓ પર કપૂર રાખો : હોળી દહનના દિવસે ઘરના ચારેય ખૂણામાં કપૂર રાખો અને તેને મુખ્યત્વે ઈશાન અને દક્ષિણ ભાગમાં રાખો. જ્યારે કપૂર સંપૂર્ણપણે બાષ્પીભવન થઇ જાય ત્યારે ત્યાં બીજો ટુડકો બદલો. આ ઉપાયથી તમારા ઘરની અંદર હંમેશા સકારાત્મક ઉર્જા રહેશે.

કપૂરથી હવન કરો : હોળી દહન ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે થાય છે અને આ દિવસે હવન કરવાનું શુભ માનવામાં આવે છે. જો તમે હોળી સહનના દિવસે સવારે આંબાના લાકડાથી હવન કરો અને હવનમાં કપૂરનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવન માટે ફાયદાકારક બની શકે છે. હોળી દહનના દિવસે કરવામાં આવતો હવન મુખ્યત્વે ઘરની શુદ્ધિ અને પરસ્પર સંબંધોને જોડવા માટે જરૂરી માનવામાં આવે છે.

ઘરની તિજોરીમાં કપૂર રાખો : હોળીના દિવસે તમે કપૂરની 5 ગોળી એક ગુડહલ ફૂલ સાથે દેવી લક્ષ્મીને અર્પિત કરો અને પછી તેને ઘરની તિજોરી અથવા પૈસાવાળી જગ્યાએ રાખો. આ કપૂરને 11 દિવસ પછી તિજોરીમાંથી કાઢી લો અને તેને લવિંગ સાથે બાળી લો. આ ઉપાયથી તમારા ઘરમાં ધનનું આગમન ચાલુ રહેશે.

કપૂરના આ ઉપાયો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવવામાં મદદ કરશે, તેથી હોળી દહનના દિવસે તેમને ચોક્કસથી અજમાવો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હોળી દહનના દિવસે કરી લ્યો આ કપૂરના ઉપાયો, તમારું ભાગ્ય બદલાઈ જશે”

Comments are closed.