હેલ્થ ટિપ્સ: -આજે તમને જણાવાનાં છીએ કે ૪૦ વર્ષની વટાવ્યા પછી લાંબુ નિરોગી જીવન જીવવું હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ગમે તેટલા પૈસા પાત્ર હોય ગમે તેટલી સગવડતા વાળા હોઈએ એ કે ગમે તેટલા ભણેલા-ગણેલા હોય પણ આ શરીર સથવારો આપે ત્યાં સુધી જ શરીર સારું છે પણ શરીર જ્યારે સથવારો ન આપે ત્યારે આપણને શરીર બદતળ લાગે છે.
તો આ બાબતમાં આપણે ધ્યાન રાખીએ તો હંમેશા નીરોગી જીવન જીવી શકાય.( health tips in gujarati)
૧) સમયાંતરે બીપી તથા બ્લડ સુગર ચેક કરાવી લેવું . આ બહુ જ જરૂરી છે .
૨- મીઠું, ખાંડ, ડેરીપ્રોડક્ટ, સ્તાર્ચ, ફાસ્ટ ફુડ આ બધી વસ્તુઓ નો ઘટાડો કરવો જોઇએ અથવા ઓછી માત્રામાં લેવું જોઈએ, એને બદલે ફણગાવેલા મગ શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, લીંબુપાણી, આદુ, હળદર આ બધાનું સેવન આપણે ૪૦ વર્ષની વય પછી કરવું જોઈએ.
૩- લીલોતરી:- શાકભાજી જેમાં સલાડનું પ્રમાણ વધારવું એટલે કે શરીરને જરૂરી પોષક તત્વો એનાથી મળી રહેતા હોય છે.
૪- દિવસમાં કોઈપણ ૧ ફળ ખાવાનું રાખીએ:- એનર્જી અર્થાત્ શક્તિ સારી રહેશે અને જરૂરી વિટામિન અને પોષક તત્વો પણ એનાથી મળી રહેશે પણ તે આ ફળ કુદરતી રીતે પાકેલા હોવા જોઈએ.
૫-ગુસ્સો સદંતર બંધ કરવો જોઈએ :- ગુસ્સાથી અનેક ગેરફાયદાઓ થાય છે જેમાં શરીર નાં બધા કોષો નબળા પડે છે અને આપણું મન પણ નબળું પડે છે . જેથી ગુસ્સાને કાબૂમાં રાખશો. તો આપણે નિરંતર યુવાન રહેશો અને નિરંતર યુવાની એટલે નિરંતર નિરોગી છે.
૬- બદામ અને સિંગદાણા ખાવાનું રાખવું પણ માપમાં ખાવું.:- બદામ હંમેશા સાંજે પાણીમાં પલાળી અને સવારે એ પલાળેલી બદામ ચાર પાંચ દાણા ખવાય તો આરોગ્ય માટે ખૂબ સારી છે
૭- ભૂતકાળ ભૂલીને આગળ વધવું:– ભૂતકાળને ક્યારે યાદ કરવાની ઘણી બધી આપણાથી ભૂલો થતી હોય છે.આપણા પરિવારમાં પણ થતી હોય પણ આપણે આદર્શ જીવન જીવવું અને વફાદાર રહેવું અને સાક્ષી ભાવમાં રહેવું. આ ૪૦ વર્ષની વય પછી જ આપણે આવું કરશો તો ખુબ મજા રહેશે .
૮- હંમેશા સકારાત્મક વિચારો જ વિચારવા:– પોઝિટિવ થિંકિંગ રાખવાથી આપણે ખૂબ મજા આવશે અને આપણું આરોગ્ય તો સારું રહેશે આપણે ચયાપચયની ક્રિયા પણ સારી રહેશે
૯- સવારે ઊઠીને નરણા કોઠે એક ગ્લાસ હૂંફાળું પાણી એટલે સતપ પાણી પીવું અને નિયમિત રાખવું. દોઢ ગ્લાસ પણ પી શકાય.
૧૦:- ચહેરાનું લાલિત્ય નબળું ન પડવો જોઈએ છે આપણે પ્રસન્ન જ રહેવા જોઈએ.
૧૧:- થોડીવાર ચાલવાનું રાખવું જોઈએ :- સવારે ચાલીએ તે સાંજે ચાલીએ પણ દસ વીસ મિનિટ આપણે ચાલવાનું રાખીએ તો આપણે નીરોગીતા આવતી હોય છે.
૧૨:-જો આપણું વજન વધી ગયું હોય તો ઓછું કરવું:- સાંજે ઓછો ખોરાક લેવો જોઈએ, હળવો ખોરાક લેવો જોઈએ. ખીચડી લેવી જોઈએ, હળદર વાળું દૂધ લેવું જોઈએ. આવા બધા સાદા ખોરાક લેવો જોઈએ જવું પાન,માવા, તમાકુ, સિગરેટ દારૂ,જુગાર માસાહાર, નબળા વિચારો આ બધું ૪૦ વર્ષની વય પછી ત્યાગ કરવો જોઈએ.
૧૩- રોજ સવારે દસ મિનિટ હળવો વ્યાયામ કરવા :- કસરત કરવી જોઈએ યોગાસન કરવા જોઈએ અથવા તો પ્રાણાયામ કરવા જોઈએ અને ધ્યાન મનન ચિંતન વાંચન એ પણ હોવું જોઈએ.
૧૪- હંમેશા રાત્રે વહેલા સૂઈ જવાનું ને વહેલા ઉઠવાનું છે:- જેથી આપણને સારી ઊંઘ આવે અને વહેલા સવારે તાજગી વાળી આપણને જેવું ઓક્સિજનની માત્રા પ્રાપ્ત થવાની હોય તે મેળવી શકીએ.
૧૫– હંમેશા રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી પીને સૂવાનું રાખો. હુંફાળું પાણી પીવો.
૧૬- હંમેશા સારા મિત્રો રાખવા જેને કોઈપણ પ્રકારના વ્યસન ન હોય.
આવી ઘણી બધી મિત્રો સુંદર ટિપ્સ ૪૦ વર્ષ પછીની આપણે નિરોગી તા રાખવી હોય તો આપણે આપમેળે વિચારી અને રાખી શકીએ. ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.