craving sweets eat these 3 super healthy foods
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને જમ્યા પછી કંઈક મીઠી વસ્તુ ખાવાની ટેવ છે, તો આવા તમે એકલા નથી. આપણામાંની મોટાભાગના વ્યક્તિઓને મીઠાઈ વગર ભોજન અધૂરું લાગે છે. ઘણા લોકોને રાત્રે જમ્યા પછી મીઠી ચા કે કોફી પીવાની આદત હોય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

વધારે ખાંડ કેલરીની માત્રામાં વધારો કરી શકે છે અને લાંબા ગાળાની બળતરાને પ્રોત્સાહન આપી શકે છે. ખાંડનું સેવન કરવાથી તમારું વજન પણ વધે છે અને તમને ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ, PCOS અને મોટાપો થવાનું જોખમ પણ રહે છે.

જો કે, આપણે બધા માણસો હોવાથી, એક દિવસમાં ખાંડની લતને દૂર કરવી શક્ય નથી. આયુર્વેદમાં, તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યા વગર તમારી ગળપણ ખાવાની તૃષ્ણાને સંતોષવા માટે 3 વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે.

શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારા સ્વાસ્થ્યની કાળજી લેતી વખતે ગળપણની ઇચ્છા છે, પરંતુ તમારું શરીર તમને ખાંડનું સેવન કરવાની મંજૂરી આપતું નથી? અહીં અમારી પાસે તમારા સ્વાસ્થ્યને આડઅસર કર્યા વગર તમારી ખાંડની તૃષ્ણાને સંતોષવા માટે 3 સૌથી અદ્ભુત કુદરતી રીતો છે.

કિસમિસ : કિસમિસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જ્યારે પણ તમને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય ત્યારે તે ખાવા માટે કુદરતી અને પૌષ્ટિક હોય છે. તેને ઓછું ખાવું સારું છે. સ્વાસ્થ્ય લાભો એટલા મહાન છે કે તે કબજિયાતમાં રાહત આપે છે, એનર્જી આપે છે, હાડકાંને મજબૂત બનાવી રાખે છે અને હૃદય માટે સારું છે.

તેથી હવે જયારે પણ તમને ગળપણ ખાવાની અથવા કૈક મીઠાઈ ખાવાથી ઈચ્છા હોય ત્યારે તેને સંતોષવા માટે થોડી કિસમિસ ખાવાનો વિચાર કરો.

2. ખજૂર : ખજૂર આયર્ન, પોટેશિયમ અને અન્ય ફાયદાકારક વનસ્પતિ સંયોજનોથી ભરપૂર હોય છે. તેની ઉચ્ચ દ્રાવ્ય ફાઇબર સામગ્રી ખાંડની તૃષ્ણાઓ સામે લડવામાં મદદ કરે છે અને આંતરડામાં તંદુરસ્ત બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહિત કરે છે.

ખજૂર પિત્ત દોષને શાંત કરવા માટે સારી છે, મસલ્સને શક્તિ આપે છે, મગજના કાર્યમાં સુધારો કરે છે. તેથી જ્યારે પણ તમને ખાંડની લાલસા હોય ત્યારે તમે ખજૂર ખાઈ શકો છો. પરંતુ, જો તમારી પાચનશક્તિ નબળી હોય તો તેને પલાળીને ખાવું સારું છે. રોજ ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય જલ્દી સુધરે છે.

3. મધ : તમારી ખાંડની તૃષ્ણાને સંતોષવાની બીજી રીત મધ છે. આ કુદરતી રીત સ્વાસ્થ્યપ્રદ છે અને પોષક અને ઔષધીય ઉપાયો પ્રદાન કરવા માટે પણ જાણીતું છે. મધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે, જે વિવિધ સ્વાસ્થ્ય લાભો આપે છે.

જો તમે શુદ્ધ મધ ખાઓ તો મધ શ્રેષ્ઠ ચરબી બર્નર છે. કાચું મધ અનેક રીતે ફાયદાકારક છે. આયુર્વેદમાં મધને મધુ કહેવામાં આવ્યું છે. તો તમને પણ ગળપણ ખાવાનું મન થાય તો આ 3 સારા વિકલ્પ છે. ડાઈટ સબંધિત આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા