Do not wear slippers in these 5 place
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મ અનુસાર મંદિરમાં ચપ્પલ પહેરવાની મનાઈ હોય છે, પરંતુ માત્ર મંદિર જ નહીં પરંતુ એવી કેટલીક અન્ય જગ્યાઓ છે જ્યાં ચપ્પલ અને શૂઝ પહેરવા પર પ્રતિબંધ માનવામાં આવે છે.

મંદિર સિવાય, હિંદુ ધાર્મિક ગ્રંથોમાં અન્ય 4 સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્યાં ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો એ ઘરમાં અશુભતાને આમંત્રણ આપવા જેવું છે. ચપ્પલ અને જૂતા પહેરીને આ સ્થાનો પર જવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ નથી મળતી. તો ચાલો જાણીએ કઈ જગ્યાએ ચપ્પલ અને શૂઝ પહેરીને ન જવું જોઈએ.

મંદિરો અને પૂજા સ્થાનો : ઘરનું મંદિર હોય કે બહારનું, બંને જગ્યાએ દેવતાઓનો વાસ હોય છે. આવી સ્થિતિમાં મંદિરમાં ચપ્પલ લઈને જવું પાપ માનવામાં આવે છે. માત્ર મંદિર જ નહીં પરંતુ કોઈપણ ધાર્મિક સ્થળ પર પણ ચપ્પલ પહેરવાની ભૂલ ન કરવી જોઈએ.

રસોડું : હિંદુ ધર્મમાં, રસોડાને મંદિરની જેમ પૂજા સ્થળ માનવામાં આવે છે કારણ કે તે માતા અન્નપૂર્ણાનું નિવાસસ્થાન છે. આ સિવાય જ્યારે રસોડામાં ગેસ સળગાવવામાં આવે છે અથવા સ્ટવ સરગાવવામાં આવે ત્યારે અગ્નિદેવની સામે રસોઈ કરવામાં આવે છે, તેથી ચપ્પલ કે જૂતા પહેરીને આ જગ્યાએ ન જવું જોઈએ.

અનાજનો ભંડાર : આ તે જગ્યા છે જ્યાં ઘરના તમામ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ચપ્પલ પણ આ જગ્યાએ ન લઈ જવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે પણ ઘરમાં ભંડાર ગૃહની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં પૈસા અને અનાજની કમી નથી હોતી.

પવિત્ર નદી : આપણા દેશ અને હિંદુ ધર્મમાં નદીઓને પવિત્ર જ નહીં પરંતુ માતા માનવામાં આવે છે. આવી રીતે, નદીના કિનારે જતી વખતે, ચંપલ પહેરવાનું ટાળવું જોઈએ.

તિજોરી અથવા ધન રાખવામાં આવતું સ્થાન : ઘરમાં રાખેલી તિજોરી કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં ચપ્પલ પહેરીને જવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે જ્યાં તિજોરી અથવા પૈસા રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જો કોઈ વ્યક્તિ ચપ્પલ પહેરીને આ સ્થાન પર જાય છે, તો તે માતા લક્ષ્મીનું અપમાન કરે છે અને વ્યક્તિને તેમના ક્રોધનો સામનો કરવો પડે છે.

તો આ એવી 5 જગ્યાઓ હતી જ્યાં તમારે ચપ્પલ અથવા શૂઝ પહેરીને જવાનું ટાળવું જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ 5 જગ્યાએ ભૂલથી પણ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મકતા વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી”

Comments are closed.