banana tree astrology
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. છોડ જેટલા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તેટલું જ તેનું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ હોય છે. આવો જ એક છોડ કેળાનો છે જેને હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. સત્યનારાયણ વ્રત કથા હોય કે ગુરુવારની વ્રત પૂજા, પૂજા માટે કેળાનો છોડ અવશ્ય રાખવામાં આવે છે.

પ્રાચીન સમયથી આ વૃક્ષની પૂજા ગુરુવારે કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે કેળાના છોડની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને વૈભવની કમી નથી આવતી. આજના લેખમાં આપણે કેળાના ઝાડ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીશું.

કેળાના છોડનું મહત્વ : કેળાના છોડ વિના ગુરુવારનું વ્રત કથા અને પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ગુરુવારે ઉપવાસ કરનારા ભક્તોએ કેળાના છોડની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત સત્યનારાયણ વ્રત કથા, લગ્ન અને દિવાળીની પૂજામાં મંડપ બનાવવા માટે કેળાના ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને કેળાના પાંદડામાં જ જમવાનું પીરસવામાં આવે છે, તે તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.

કેળાના છોડના દરેક ભાગનો ઉપયોગ હિન્દુ ધર્મમાં પૂજા માટે થાય છે. તેનો દરેક ભાગ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે, તેથી તેના છોડ, ફળ અને પાંદડા પૂજા અને ધાર્મિક વિધિઓ માટે વપરાય છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જો કોઈ વ્યક્તિ કેળાના ઝાડ સાથે ગુરુવારે વ્રત કરે છે, તો ભગવાન વિષ્ણુ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

કેળાના ઝાડ સાથે જોડાયેલી કથા : હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર ઋષિ દુર્વાસા ગુસ્સે થયા અને તેમની ઊંઘમાં ખલેલ પહોંચાડવા પર તેમની પત્નીને શ્રાપ આપ્યો અને કહ્યું કે હવેથી કેળાના ઝાડમાં ફેરવાઈ જાઓ. આવી સ્થિતિમાં દુર્વાસા ઋષિની પત્નીએ તેના પતિની માફી માંગી પરંતુ દુર્વાસાજી રાજી ન થયા. માફ ન કરવા પર, ઋષિ પત્નીએ તેના પતિને ઈચ્છા વ્યક્ત કરી કે કેળાના ઝાડને વિશેષ અને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે. જે બાદ ઋષિ દુર્વાસે તેમની પત્નીની ઈચ્છા સ્વીકારી અને તેમની ઈચ્છા પૂરી કરી. ત્યારથી આજ સુધી તેને હિંદુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે.

આ પણ વાંચો : કર્પૂર ગૌરમ કરુણાવતારમ મંત્રના ફાયદા

banana tree in astrology

કેળાના ઝાડનો ઉપયોગ : ગુરુ ભગવાનને કેળાનો ભોગ વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. તેનો ઉપયોગ તીજ-તહેવારો અને લગ્ન સમારોહમાં શણગાર માટે થાય છે. કેળાના ઝાડનું થડ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી જ ગણપતિ પૂજન દરમિયાન ઘણી જગ્યાએ તેના પાન ગણેશજીને અર્પણ કરવામાં આવે છે .

ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં કેળાનું ફળ ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. કેળાના ફળ અને પાંદડાનો ઉપયોગ તમામ ધાર્મિક અને વૈદિક વિધિઓમાં થાય છે. દરેક ધાર્મિક વિધિઓમાં કેળાના છોડનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.

જો તમારા ઘરમાં પણ કોઈ ખાસ વસ્તુઓ અને પ્રસંગોમાં કેળાના ઝાડનો ઉપયોગ થતો હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને કેળાના ઝાડ સાથે જોડાયેલી આ માહિતી ગમી હોય તો આ લેખને શેર કરો. આવા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

Image credit – Freepik

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા