aloe vera juice na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કુંવારપાઠું ના ફાયદા : આજે આપણે જાણીશું ૫૦૦૦ વર્ષ જૂની રામબાણ ઔષધી એટલે એલોવેરા.જેને ગુજરાતીમાં કુંવારપાઠું કહે છે. એલોવેરા ને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. એલોવેરા એક પ્રકારનું નાનકડો કાટાવારો રોપો હોય છે. તેના પાંદડાઓમાં બહુ બધું લિક્વિડ ભરેલું હોય છે. કે જે શરીરને સ્વસ્થ બનાવે છે.  આપણા શરીરને ૨૧ એમિનો એસિડની જરૂર હોય છે તેમાંથી ૧૮ એમીનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી આવે છે.

એલોવેરા જ્યૂસમાં કેલ્શિયમ સોડિયમ આયરન પોટેશિયમ ક્રોમિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ તાંબા અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે. એલોવેરા જ્યૂસનો સ્વાદ થોડો કડવો હોય છે. એલોવેરાનું જ્યૂસ પીવાથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે. આના સિવાય એલોવેરાને રક્તશોધક પાચન ક્રિયા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

સૌથી સારી વાત તો એ છે કે એલોવેરા જ્યુસ ની અસર પાંચથી દસ દિવસમાં દેખાય છે. એલોવેરા જ્યુસમાં એન્ટિ ઓક્સિડન્ટ પણ પ્રચુર પ્રમાણમાં હોય છે કે જે શરીરની મોટાભાગની બિમારીઓને સાજી કરી દે છે. તેને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા અને પ્રતિરક્ષા ક્ષમતા બંનેનો વિકાસ થાય છે. તેને પીવાથી શરીરમાં ઓછા થતા પોષક તત્વોની પણ પૂર્તિ થઇ જાય છે.

નિયમિત રૂપથી કુંવારપાઠાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં એનર્જી આવે છે. કુવારપાઠા જ્યુસ માં ઘણા પ્રકારના પોષક તત્વો વિટામિન અને મિનરલ હોય છે. જે બોડી સિસ્ટમને સુધારે છે અને તેને એનર્જી આપે છે. આ જ્યુસ પીવાથી શરીરની પ્રતિષ્ઠા સમતા વધી જાય છે. કુંવારપાઠાના કાંટાદાર ઉપર નાં ભાગને છોલી ને તેમાંથી રસ કાઢવામાં આવે છે. ત્રણથી ચાર ચમચી રસ ખાલી પેટે પીવાથી દિવસભર શરીરમાં ચુસ્તી સ્ફુર્તી બની રહે છે.

૨) બડેલી જગ્યા પર કુવારપાઠા જેલ નો ફાયદો:-  બળવા કે ઘા લાગવા પર કુવારપાઠા જેલ કે કુંવારપાઠાને છોલીને લગાવવાથી આરામ મળે છે. બડેલી જગ્યા પર કુવારપાઠા જેલ લગાવવાથી છાલા પણ થતા નથી અને ત્રણ-ચાર વાર લગાડવાથી બળતરા ખતમ થઇ જાય છે

૩) ત્વચાની સુંદરતા વધારે: કુંવારપાઠા જ્યુસનાં સેવનથી તમારી ત્વચા લાંબા સમય સુધી જવાન અને ચમકદાર લાગે છે. શરીરની સ્કીનને સ્મુથ બનાવવા માટે એક એલોવેરા સ્લાઈસ લઈને બોડી પર હળવા હાથે ગસો એટલે પછી તે એકદમ સ્મૂથ થઈ જશે. કુવારપાઠા માં ખીલ, સૂકી ત્વચા,કરચલીઓ, ચહેરાના ડાઘ અને આંખોના કાળા ડાઘને દૂર કરવાનું ગુણધર્મ રહેલો છે.

૪)ફાટેલી એડીઓ માટે:- ફાટેલી એડીઓ પર કુંવારપાઠું લગાવવાથી ખૂબ જલદી સારું થઈ જાય છે. ૧૦) કુંવારપાઠાનો રસ હરસ અને પેટની સમસ્યાઓ થી છુટકારો આપવામાં મદદ કરે છે:-  હરસ-મસાની સમસ્યામાં એલોવેરા અત્યંત લાભકારક સિદ્ધ થાય છે.

૫) ઉધરસ ખાંસી માટે ફાયદાકારક:–  ઉધરસ-ખાંસી માં કુંવારપાઠાનો રસ દવાનું કામ કરે છે. આના પાંદડા ને તેલવાડા કરી શેકીને રસ કાઢી લો અને અડધી ચમચી જ્યુસ એક કપ ગરમ પાણીની સાથે લેવાથી ઉધરસ ખાંસી માટે ખૂબ જ જલદી ફાયદો થાય છે.

૬) દાંત માટે લાભકારક:-  કુંવારપાઠાનો જ્યુસ દાતોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં રહેલા એન્ટી માઈક્રોવાઇરલ ગુણ ને કારણે દાંતને સાફ અને કિટાણુ મુક્ત રહેવામાં ખૂબ જ મદદ મળે છે. કુવારપાઠા જ્યુસ માઉથ ફ્રેશનર ના પણ ગુણધર્મ રહેલા છે. કુંવારપાઠાના જ્યૂસને મોંઢામાં ભરવાથી છાલ અને વહેવાવાળું લોહી પણ રોકાઈ જાય છે.

૭) નંબર વજન ઓછું કરે છે:-  નિયમિત રૂપથી કુવારપાઠા જ્યુસ પીવાથી વધેલું વજન ઓછું થવા લાગે છે અને આને પીવાથી વારંવાર ખાવાની આદત પણ દૂર થઇ જાય છે. અને તમારી પાચન કર્યા સુધરી જાય છે.

૮) સારું પાચક:-  કુવારપાઠા જ્યુસમાં મોટી માત્રામાં પાચક તત્ત્વ વધારે હોય છે. આમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ના કારણે આ પેટ રોગોમાં ખૂબ ફાયદો પહોંચાડે છે. કુંવારપાઠાના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

૯) શરીરની ગંદકી દૂર કરતો જ્યુશ:- એલોવેરા જ્યુસ એક સારું ડિટોક્સીફિકેશન કરનાર પીણું છે. આપણા શરીરમાં ઘણા પ્રકારના ઝેરીલા તત્વો હોય છે જે સ્કિનને ખરાબ કરી દે છે અને બોડી સિસ્ટમ પર ગંદકી અસર કરે છે. પ્રદૂષણ, જંક ફૂડ અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને કેટલીક ગંદી આદતો જેમ કે સ્મોકિંગ અને ડ્રિન્કીંગ વગેરેથી બોડીમાં ઝેરી તત્વો પેદા થાય છે.

જો તમે દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવું હોય તો આ તત્વો શરીરમાંથી ખતમ થઇ જાય છે અને શરીરને જ્યુસના વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સ્વસ્થ બનાવે છે.

૧૧) સાંધાના દુખાવામાં પણ એલોવેરા અત્યંત ફાયદાકારક છે. એલોવેરા જેલને ઘઉંના લોટમાં મિક્ષ કરીને તેની બાટી બનાવી ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યા જડથી દૂર થઈ જાય છે. ૧૨) કુંવારપાઠા માં ટાલિયા પણા ને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

શું તમને ખબર છે એલોવેરા વાળ અને સૌંદર્ય માટે કેટલું ઉપયોગી છે? જો ના, તો જાણો વાળ અને સૌંદર્ય માટે કુંવારપાઠું ના ફાયદા (એલોવેરા ના ફાયદા).

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “એલોવેરા જ્યૂસના ૧૨ ચમત્કારીક ફાયદા ( કુંવારપાઠાના ફાયદા)”